જામનગરમાં મિત્રએ જ મિત્રની હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.જામનગરના ગુલાબનગર વિસ્તારની આ ઘટના છે. જ્યાં જમીન મકાનની દલાલીનું કામ કરતા શંભુ ડાંગર નામ વ્યક્તિનું તેના જ મિત્ર મુકેશ રાઠોડે તીક્ષ્ણ હથિયારના ઘા ઝિંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.
મળતી માહિતી અનુસાર ધંધામાં મનદુ:ખ થતા હત્યા કરવામાં આવી હતી. બંને મિત્રો મકાન લે-વેચનો ધંધો કરતા હતા. હત્યા કરનાર મુકેશ રાઠોડ નામનો મિત્ર હાલ ફરાર છે. પોલીસે આ મામલે હાલ તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે બંન્ને મિત્રો નવા વર્ષની શુભેચ્છા પાઠવવા મુકેશ રાઠોડના ઘરે મળ્યા હતાં. જ્યાં બંન્ને વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીમાં મુકેશ રાઠોડે ઉશ્કેરાઈને તેના મિત્ર શંભુ ડાંગર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા તેનું મોત નીપજ્યું. ઘટનાને પગલે મૃતકના પુત્રની ફરિયાદના આધારે પોલીસે આરોપી મુકેશ સામે હત્યાનો ગુનોનોંધી વધુ તપાસ હાથધરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.