જૂનાગઢ,
જૂનાગઢના ગાંઠીલા ગામે ઓજત નદીમાં નાહવા પડેલા 4 યુવાનોના મોત થયા છે. ઓઝત નદીના પટ્ટમાંથી ભૂમાફિયાઓ રેતી ખનન કરે છે જેના કારણે પટ્ટમાં 20 થી 25 ફૂટ મોટા ખાડા પડી ગયા છે..
જેમાં તરતા ન આવડતુ હાય તેવા લોકો નાહવા પડે છે અને ખાડા પડવાથી તેમના મોત નીપજી રહ્યા છે. ત્યારે અનાયાસે નદીમાં નાહવા પડેલા ચાર જેટલા યુવાનોના મોત થતા સમગ્ર પથંકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
યુવાનો ડૂબવાની જાણ થતા નજીકમાં આવેલા ઉમાધામ ગાંઠીલા મંદિરના પૂજારીને જાણ થતા મંદિરના પૂજારીએ કોઈને તરતા આવડતુ હોય તો બચાવવા તાબડતોડ માઈક પર એનાઉન્સ કર્યુ હતુ. આથી ગામ લોકો અને તરવૈયાઓ ઓઝત નદીએ દોડી આવ્યા હતા….