એનસીપીના નેતા અને સાંસદ પ્રફુલ પટેલે વીર શહિદ પ્રદિપસિંહના પરિવારજનોની મુલાકાત લીધી હતી. શહિદ પ્રદિપસિંહને પ્રફુલ પટેલે શ્રધ્ધાંજલી અર્પી હતી. વીર શહિદના પરિવારજનોએ પ્રફુલ પટેલ સમક્ષ માંગણી કરી હતી કે ગુજરાતના દરેક શેન્યના વિર શહિદના પરિવારજનોને એક એક કરોડ રુપીયાની સહાય મળવી જોઈએ. ગુજરાત સરકારે શહિદ પ્રદિપસિંહના પરિવારને રુપીયા ચાર લાખની સહાય કરી પરિવારનું અપમાન કર્યું છે. પ્રફુલ પટેલે ગુજરાત સરકાર પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા.