પાટણ,
રાજ્યમાં મેલેરિયા, કમળો, ડેન્ગ્યું, સ્વાઈન જેવા રોગચાળાએ માઝા મૂકી છે. ત્યારે પાટણમાં સમી જયભારત હાઈસ્કૂલના આચાર્ય સ્વાઈન ફ્લૂથી મોત ભેટ્યા.
આચાર્ય તુંલસીભાઈ શ્રોફનું ૪૫ વર્ષની ઉમરે ગતરાત્રે અઢી વાગે સ્વાઈન ફ્લૂના રોગથી દુઃખદ અવસાન થયુ હતુ. વલ્ડ લેવલમાં રમતગમત ક્ષેત્રે અને ખાસ કરી કરાટેમાં આગવું યોગદાન ધરાવતા સમાજસેવી શિક્ષકનું મોત થયુ.
અનેક વિદ્યાર્થીઓને ગુજરાત અને ભારતમાં પ્રથમ એવોર્ડ અપાવનાર શિક્ષકના મોતથી વિદ્યાર્થીઓમાં ઘેરશોકની લાગણી છવાઇ હતી. પાટણ જિલ્લામાં આગવું નામ ધરાવતા શિક્ષકના મોતથી અરેરાટી છવાઇ હતી.