અમદાવાદ,
કાશ્મીરના પુલવામામાં ગુરુવારે આતંકવાદીઓ તેમના ઈરાદાઓમાં સફળ થઇ ગયા હતા. ઉરી પછી આ પહેલો મોટો આતંકી હમલો થયો છે, જેમાં 44 જવાન શહીદ થઇ ગયા છે તો આ હુમલામાં 45 જેટલાં જવાનો ઇજાગ્રસ્ત પણ થયા છે અને આ ઘટના પર અલગ અલગ જગ્યાએથી પ્રતિક્રિયા સામે આવી રહી છે.
અમદાવાદના થલતેજમાં વિરોધ પ્રદર્શન
જમ્મુ કશમીરના પુલાવામાં થયેલ 20 વષોમાં સોથી મોટો હુમલો હતો. તે અંગે અમદાવાદના થલતેજ ખાતે લોકોએ આતંકવાદીઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું છે અને લોકોએ માંગ કરી છે કે આતંકવાદીનો જલ્દી ખત્મો થાય અને લોકોને ન્યાય મળે.
મોડાસામાં કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી
અરવલ્લીમાં જમ્મુ કાશ્મીરના પુલવામાં ખાતે આતંકી હુમલાની મોડાસાના યુવકોને વખોડયો છે અને મોડાસામાં કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજવામાં આવી હતી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી મેઘરજ રોડથી નિકળી ગણપતિ મંદિર સુધી રેલી યોજવામાં આવ્શે.
અમરેલીમાં શહીદ થયેલા મેજરને શ્રદ્ધાંજલિ
અમરેલીમાં બગસરા તાલૂકાના પંચાયતે શહીદ થયેલા મેજરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.જો કે બગસરા તાલુકાના તલાટી કમ મંત્રીઓ દ્વારા અપાઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે.દેશ દાજ સાથે શહીદ થયેલા મેજરોને શ્રદ્ધાંજલિ અપાવામાં આવી છે.
ગુજરાતના સુરત,મોરબી, પાટણ અને રાજકોટમાં પણ પાકિસ્તાન સામે વિરોધ કરતા નારા લગાવતા મળ્યા જોવા લોકો .
અહીં જુઓ વીડીયો….