વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપે 70 ઉમેદવારોની યાદી જાહેર કરી છે તો ભાજપની પહેલી યાદી જાહેર થયા બાદ ઉમેદવારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.સુ રેન્દ્રનગરના વઢવાણ બેઠક પર આઇ. કે. જાડેજાને ટિકિટ આપવામાં આવી નથી. તેના બદલે ધનજીભાઇ પટેલને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે આઈ.કે જાડેજાના સર્મથકોમાં રોષ જોવા મળી રહયો છે.
આનંદીબેન જુથના હોવાને કારણે પણ ટીકીટ આઈ.કે જાડેજાની ટીકીટ કપાઈ હોય તેવી પણ ચર્ચાએ જોર પકડયુ છે ત્યારે આઈ.કે જાડેજાના ટેકેદારોમાં અસંતોષની લાગણી પ્રવતી છે ત્યારે તેઓ એકઠા થઈને ભાજપના કાર્યાલય કમલમ ખાતે જઈ રહયા છે.
ત્યારે આઈ.કે જાડેજાનુ પણ નિવેદન સામે આવ્યુ છે કે તેમના સર્મથકો ભાજપના આ પ્રકારના વલણથી નારાજ થયા છે. ઉલ્લેખનીય છે કે આઈ.કે જાડેજા ભાજપના અગ્રણી નેતા છે અને ધણા વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા છે.