Not Set/ અમદાવાદ: આનંદમેળામાં રાઈડ તૂટી પડતાં 2લોકોના મોત

અમદાવાદ અમદાવાદના નારોલમાં આવેલા એક મેળામાં ગંભીર દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં બે લોકોના કરુણ મોત નીપજ્યા હતા. મળતી માહિતી અનુસાર આ મેળામાં ચાંદતારે નામની રાઈડર્સ આવેલી છે. જેમાં એકસાથે 20 થી 25 લોકો બેસી શકે તેટલી ક્ષમતા હોય છે. આ ચાલુ રાઈડ્સમાં અચાનક જ શું થયું કે લોકો રાઈડ્સમાંથી પડી ગયા. એકસાથે 7 જેટલા લોકો […]

Top Stories Gujarat Trending
ahmedabad અમદાવાદ: આનંદમેળામાં રાઈડ તૂટી પડતાં 2લોકોના મોત

અમદાવાદ

અમદાવાદના નારોલમાં આવેલા એક મેળામાં ગંભીર દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં બે લોકોના કરુણ મોત નીપજ્યા હતા. મળતી માહિતી અનુસાર આ મેળામાં ચાંદતારે નામની રાઈડર્સ આવેલી છે.

જેમાં એકસાથે 20 થી 25 લોકો બેસી શકે તેટલી ક્ષમતા હોય છે. આ ચાલુ રાઈડ્સમાં અચાનક જ શું થયું કે લોકો રાઈડ્સમાંથી પડી ગયા. એકસાથે 7 જેટલા લોકો પડી જતા મેળામાં રીતસરની દોડધામ મચી ગઇ હતી.

ahmedabad 1 અમદાવાદ: આનંદમેળામાં રાઈડ તૂટી પડતાં 2લોકોના મોત

આ સાત લોકોમાંથી 5 લોકોને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જયારે મૃતક લોકોના પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો.

ahmedabad 2 અમદાવાદ: આનંદમેળામાં રાઈડ તૂટી પડતાં 2લોકોના મોત

આ ઘટનાની જાણ થતાં સેક્ટર-2 જેસીપી અશોક યાદવ ડીસીપી તેમજ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.