અમદાવાદ
અમદાવાદના નારોલમાં આવેલા એક મેળામાં ગંભીર દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં બે લોકોના કરુણ મોત નીપજ્યા હતા. મળતી માહિતી અનુસાર આ મેળામાં ચાંદતારે નામની રાઈડર્સ આવેલી છે.
જેમાં એકસાથે 20 થી 25 લોકો બેસી શકે તેટલી ક્ષમતા હોય છે. આ ચાલુ રાઈડ્સમાં અચાનક જ શું થયું કે લોકો રાઈડ્સમાંથી પડી ગયા. એકસાથે 7 જેટલા લોકો પડી જતા મેળામાં રીતસરની દોડધામ મચી ગઇ હતી.
આ સાત લોકોમાંથી 5 લોકોને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જયારે મૃતક લોકોના પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં સેક્ટર-2 જેસીપી અશોક યાદવ ડીસીપી તેમજ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.