Not Set/ પરષોતમ સોલંકીની ધમકી : સમાજ કહેશે તો હું રાજીનામું આપીશ

ગાંધીનગર, પરષોત્તમ સોલંકી ખાતા ફાળવણીને લઈ નારાજ હોવાના કારણે તેમના નિવાસસ્થાને કોળી સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. ઉલ્લેખનિય છે કે, સ્નેહમિલન કાર્યક્રમનું કારણ દર્શાવી કેબિનેટ બેઠકમાં પણ તેઓ હાજર રહ્યા નથી. કોળી સમાજના આગેવાનો સાથે બેઠક બાદ પરષોત્તમ સોલંકીએ નિવેદન આપ્યું હતું કે, સમાજ કહેશે તો હું રાજીનામું આપીશ. નીતિન પટેલ બાદ હવે નારાજ થયેલા રાજયકક્ષાના પ્રધાન પરષોતમ સોલંકી આજની કેબિનેટ બેઠકમાં […]

Top Stories
solanki1 પરષોતમ સોલંકીની ધમકી : સમાજ કહેશે તો હું રાજીનામું આપીશ

ગાંધીનગર,

પરષોત્તમ સોલંકી ખાતા ફાળવણીને લઈ નારાજ હોવાના કારણે તેમના નિવાસસ્થાને કોળી સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. ઉલ્લેખનિય છે કે, સ્નેહમિલન કાર્યક્રમનું કારણ દર્શાવી કેબિનેટ બેઠકમાં પણ તેઓ હાજર રહ્યા નથી. કોળી સમાજના આગેવાનો સાથે બેઠક બાદ પરષોત્તમ સોલંકીએ નિવેદન આપ્યું હતું કે, સમાજ કહેશે તો હું રાજીનામું આપીશ.

નીતિન પટેલ બાદ હવે નારાજ થયેલા રાજયકક્ષાના પ્રધાન પરષોતમ સોલંકી આજની કેબિનેટ બેઠકમાં હાજર રહ્યા નહોતા.પોતાના ઘરે સ્નેહમિલનનો કાર્યક્રમનું બહાનું આગળ ધરીને પરષોતમ સોલંકીએ કેબિનેટ બેઠકમાં હાજર નહીં રહીને પૂરૂષોતમ સોલંકીએ તેમની નારાજગી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે, થોડા દિવસ પહેલા કેબિનેટ અને રાજયકક્ષાના મંત્રીઓને ખાતની ફાળવણી કરી હતી. રાજયકક્ષાના પ્રધાન પરષોતમ સોલંકી તેમને સોંપવામાં આવેલા મતસ્ય ઉદ્યોગની નારાજ છે.

પહેલાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ બાદ હવે રાજ્યના બીજા મંત્રી પરષોત્તમ સોલંકીએ સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરષોત્તમ સોલંકીએ પોતાને મળેલા ખાતા અંગે નારાજગી વ્યક્ત કરી છે. ભાજપની સરકારમાં સીનીયર મંત્રી એવા પુરષોત્તમ સોલંકીએ પોતાને મળેલા ખાતા અંગે સીએમ વિજય રૂપાણીને મળીને નારાજગી વ્યક્ત કરી હતી.

પરષોત્તમ સોલંકીએ જણાવ્યું કે, પોતાને મળેલા ખાતા માટે તેમનો કોળી સમાજ નારાજ છે. આ મામલે પોતાનો સમાજ કહેશે તે પ્રમાણે આગળ નિર્ણય લેશે.

પરષોત્તમ સોલંકી જણાવ્યું હતું કે, મારે લોકોની સેવા કરવી છે. પરંતુ મને યોગ્ય ખાતા આપવામાં આવ્યા નથી જેથી લોકોની સેવા કરી શકું. હું સતત 5 ટર્મથી ચૂંટાતો આવ્યો છું, પરંતુ મને મત્સ્ય ઉદ્યોગ ખાતું આપવામાં આવ્યું છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી છે.