દ્વારકા,
દ્વારકાના સલાયા-જૂનાગઢ રૂટની ST બસ પલટી હતી. પોરબંદર રોડ પર બસ પલટી હતી. ત્યારે 20થી વધુ લોકોને ઇજાગ્રસ્ત હાલતમાં ખસેડાયા હતા. જામખંભાળીયા હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે લવાયા હતા.
ઉલ્લેખનીય છે કે આજથી ગિરનાર પરિક્રમા ચાલુ થતી હોવાથી આ બસ પણ ખીચોખીચ ભરેલી હતી તેમાં 70 જેટલા મુસાફરો સવાર હતાં.
આ એસટી બસમાં સવાર 20થી વધુ લોકોને નાની-મોટી ઇજા થતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
નોંધનીય છે કે બસ પલટી ખાતા ડીઝલનું ઢાંકણું ખુલી ગયુ હતુ જેના કારણે અનેક મુસાફરો પર પણ ડીઝલથી લથબથ હાલતમાં હતાં.
આ એસટી બસમાં સવાર 20થી વધુ લોકોને નાની મોટી ઇજા થતા તેમને જામખંભાળીયા હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે દાખલ કરાયા છે.
નોંધનીય છે કે બસ પલટી ખાતા ડીઝલનું ઢાંકળુ પણ ખુલી ગયુ હતુ જેના કારણે અનેક મુસાફરો પર પણ ડીઝલથી લથબથ હાલતમાં હતાં. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળ તપાસ હાથ ધરી છે.