અરવલ્લી,
અરવલ્લીના મેઘરજના રામગઢી ગ્રામપંચાયતની ચૂંટણીમાં ભૂતિયા બુથ પર ઘર્ષણ થયુ હતુ. ત્યારે હવે ઘર્ષણ બાદ પ્રભારી મંત્રી રમણ પાટકરે મુલાકાત લીધી હતી.
તંત્ર અને મતદારો વચ્ચે ઘર્ષણ બાદ પાટકરે મુલાકાત લીધી હતી. વહીવટી તંત્ર અને મતદારો વચ્ચે ઘર્ષણમાં ભૂતિયા વિસ્તારના 70 નામ જોગ અને 200 ના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ આ વિસ્તારના લોકોએ હિજરત કરી હતી.
મંત્રી રમણ પાટકરના પ્રયાસથી તમામ લોકોએ પાછા લવાયા હતા. ઉલ્લેખનીય છે કે ગ્રામજનો અને પોલીસ વચ્ચેના ઘર્ષણ મામલે મેઘરજ પીએસઆઇ અને બીટ જમાદાર ની બદલી કરવાની આપી. 22 ઓક્ટોબરના રોજ નોંધાયેલ ફરિયાદના આરોપીઓને ઝડપથી જામીન મળે તે માટે પ્રયત્નો હાથ ધરવા ખાત્રી અપાઇ.