સાબરકાંઠા,
સાબરકાંઠાના રતનપુર ગામે ગૌમાતાના મોત થતાં પશુપાલકોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો છે. ગૌમાતા ખોરાકમાં ઝેરી વસ્તું આવી જતાં મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ પશુપાલક ગાયોને ચરાવવા માટે લઇ ગયો હતો.
આ દરમિયાન ખોરાકમાં ઝેરી તત્વ આવી જતાં 16 ગાયોના મોત નિપજ્યા હતા. રતનપુર ગામમાં રબારી સમજના પરિવાર પોતાના ગાયોના ધણને લઇને ચારવા માટે ગયા હતા.
ગાયો ચરાવીને પરત ફરતા હતા. ડેરામા ગાયોના ધણ પાછા પરતા સમયે રસ્તામાં અલગ અલગ સ્થળે 16થી વધુ ગાયોના મોત નીપજ્યા હતા. મોટી સંખ્યામાં ગયોના મોતથી પરિવાર ઉપર આભ તૂટી પડ્યો હતો.
પશુના ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા. ડોક્ટરોની ટીમ દ્વારા કેટલીક ગાયોની સારવાર કરવામાં આવી હતી. ડોક્ટરોનું માનવું છે કે, ગાયનોને કંઇક ઝેરી ખોરાક ખાવામાં આવી જતાં પેટ ફૂલાઇ ગયા હતા.
જેના પગલે ગાયો મોતને ભેટીં હતી. આ ઉપરાંત ઘટનાની જાણ સ્થાનિક ગામ લોકોને થતાં લોકોના ટોળા પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા.