થરાદ,
થરાદને શહેરને અડીને આવેલા અભેપુરા ગામે રહેતા ઠાકોર સમાજના કાકા ભત્રીજા વચ્ચે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા ભત્રીજાએ પોતાના કાકા જવાનજીને માથાના ભાગે કુહાડીનો ઘા ફટકારી લોહીલુહાણ કરી દેતા જવાનજી ઠાકોરનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું.
બનાવને થરાદ પોલીસને બનાવની જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી હત્યા કરનાર ભગવાનભાઈ સૂબાભાઈ ઠાકોરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના હવાલે કરાયો, તેમજ ફરિયાદીના આધારે થરાદ પોલીસે ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.