નેશનલ હાઇવે નંબર-48 પર પાલેજ નજીક વરેડિયા પાસે અકસ્માતમાં સર્જાયો છે. આ અકસ્માતમાં બે પદયાત્રીઓના મોત થયા છે. જ્યારે એક પદયાત્રી ઇજાગ્રસ્ત થયો છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ પાલેજ પોલીસ સ્થળ પર પહોંચી. આ મામલે તપાસ હાથ ધરી છે.
મળતી મહિતી અનુસાર આ પદયાત્રીઓ સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. પાલેજ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.