વડગામ,
વડગામના ઘારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ફકત ઠાલા વચન કર્યા કરે છે. જેને લઇ વડગામના 500થી વધુ લોકોએ જિલ્લા કલેકટરે ધરણા કર્યા હતા.
તમને જણાવી દઇએ કે જીજ્ઞેશ મેવાણીએ વડગામના ઘારાસભ્ય બન્યા ત્યારે રોડ બનાવવાની તેમજ આદિવાસી પરિવારોને રાહતના દરે પ્લોટ ફાળવવાની રજૂઆત કરી હતી.
પરંતુ એક વર્ષ પુર્ણ થયુ હોવા છતા હજુ સુધી કોઇ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. આથી ગામલોકોએ જણાવ્યુ હતુ કે જ્યા સુધી અમારી માંગણીનો યોગ્ય જવાબ નહી મળે ત્યાં સુધી ધરણા શરુ રહેશે.