સુરત
સુરતમાં દિવસને દિવસે ક્રાઈમરેટમાં વધારો થતો જાય છે. એવું લાગી રહ્યું છે કે લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી ત્યારે ફરી એકવાર સુરતના પાંડેસરા વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો.
મળતી માહિતી મુજબ ચાર થી પાંચ અજાણ્યા શખ્સોએ તલવાર અને તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા અને યુવક લોહીથી લથપથ થઇ ગયો હતો. ત્યારે આ શખ્સો હુમલો કરીને ફરાર થઇ ગયા હતા.
લોહીથી લથપથ અજય મહેશ્વર જૈના નામના ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. હાલ યુવક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા લાંબા સમયથી બે જૂથ વચ્ચે ચાલી આવતી તકરારમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. આ અજાણ્યા શખ્સો કોણ હતા?ક્યા કારણોસર આ યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો..? આવા અનેક સવાલો પોલીસ સામે ઉભા થઇ રહ્યા છે. આ મામલે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.