ગત માર્ચ મહિનામાં અમદાવાદના વાસણા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં સુરેશ શાહ નામની વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જેની પોલીસ ફરિયાદ દાખલ થતાં કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી અને ક્રાઇમ બ્રાન્ચે રાજુ શેખવા અને તેના સાથીદારોની ધરપકડ કરી હતી. અને તેમના પાસેથી હત્યામાં વપરાયેલા સાધનો તેમજ કારને મુદામાલના સ્વરૂપમાં જપ્ત કર્યો હતો.
આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થયા આરોપી ઘનશ્યામ અને રાજુ શેખવા દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જેનો અત્યારે સરકાર પક્ષના વકીલ સુધીર બ્રહ્મભટ્ટે ભારે વિરોધ કર્યો છે. આરોપીઓને જામીન ન આપવા માટે સરકાર પક્ષના વકીલે દલીલ કરી હતી. કોર્ટે સરકાર પક્ષની દલીલો સાંભળીને વધુ સુનાવણી 9 ઓક્ટોબરના રોજ સુધી મુલતવી રાખી છે.