રાજ્યમાં હજુ પણ વહેલી સવારે ઠંડી અને ગરમી બે ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે.બપોર બાદ એકાએક ગરમીનો પારો ઉચકતા લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે 14 માર્ચથી હજુ પણ ગરમીનો પારો વધવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
માર્ચ મહિનો શરુ થતા જ ઉનાળાની સિઝનની શરૂઆતા થઈ જવા પામી છે. વહેલી સવારે હજુ પણ લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. સવારે ધીમે ધીમે ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. ત્યારે બપોર બાદ ગરમીનો પારો હજુ પણ વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ૧૪ માર્ચથી ગરમીનો પારો ૪૦ ડિગ્રી સુધી પહોચવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવા આવી છે.
હાલ બપોર બાદ મહદ અંશે શહેરીજનો ગરમીનો અનુભવ કરતા લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણા મેળવીને રાહત મેળવી રહ્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…