અમદાવાદ
અમદાવાદમાં નમો ટેબ્લેટ ફ્રોડ કેસનો મામલો સામે આવ્યો છે.
તમને જણાવી દઈએ કે દર વર્ષે સરકાર તરફથી ૧૦૦૦ રૂપિયામાં વિદ્યાર્થીઓને નમો ટેબ્લેટ આપવામાં આવે છે. રાજ પરમારે નમો ટેબ્લેટ માટે એક વર્ષ પહેલા ૧૦૦૦ રૂપિયા ભર્યા હતા.આશરે એક વર્ષ પછી તેને ટેબ્લેટને બદલે માત્ર ચાર્જર મળ્યું હતું.
આ વિદ્યાર્થી એટલે કે રાજ પરમારે યુનીવર્સીટીના કુલપતિ ડો હિમાંશુ પંડ્યાને ફરિયાદ કરી હરી કે હું સહજાનંદ કોમર્સ કોલેજમાં સેમિસ્ટર-3માં ભણું છું. હું સેમિસ્ટર-1માં હતો ત્યારે 5 ઓગસ્ટ 2017ના દિવસે કોલેજ તરફથી મારી પાસેથી રૂ. 1000 ટેલ્બેટ માટે લેવામાં આવ્યા હતા. તે પછીથી 29 ઓક્ટોબરે ૨૦૧૮ ના રોજ કોલેજ તરફથી મને જે ટેબ્લેટનુ બોક્સ આપવામાં આવ્યું હતું.
રાજના કહેવા પ્રમાણે બીજા પણ એવા ઘણા વિદ્યાર્થીઓ છે જે લોકોને હજુ નમો ટેબ્લેટ મળ્યા નથી.