અમદાવાદ,
ઉપવાસના 14મા દિવસે હાર્દિક પટેલને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ત્યારે હાર્દિક પટેલે હોસ્પિટલમાં દાખલ થયા બાદ ટ્વીટ કર્યું છે અને ભાજપની સરકાર પર નિશાન સાધ્યું છે.
હાર્દિક પટેલે ટ્વીટ કરતા લખ્યું કે, મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. મારી કીડની પર પણ નુકસાન હોવાનું તબીબો જણાવી રહ્યા છે. પરંતુ ભાજપ સરકાર હજુ સુધી ન તો ખેડૂતોના દેવા માફી પર કશું કહી રહી છે કે ન તો પાટીદાર સમાજની અનામતની માગ પર કશું કહી રહી છે.
https://twitter.com/HardikPatel_/status/1038025439166558209
અમદાવાદમાં છેલ્લા 14 દિવસથી આમરણાંત ઉપવાસ પાર બેઠેલા હાર્દિક પટેલને, હાલ, સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. જ્યાં તેમની તબિયતની સારવાર કરવામાં આવશે. સોલા સિવિલ હોસ્પિટલમાં હાર્દિક માટે ખાસ ICU વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ ડોક્ટરની એક ટીમ પણ ખડેપગે છે. બીજી બાજુ સોલા સિવિલ બહાર એસઓજીની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.
હાર્દિક પટેલના ઉપવાસના 14માં દિવસે તબિયત લથડતા તેને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. સરકારને આપેલા અલ્ટિમેટમ મુજબ હાર્દિકે ગુરુવાર રાતથી પાણીનો ત્યાગ કર્યા બાદ તેને સતત્ ચક્કર આવવા અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેને સોલા સિવિલના છઠ્ઠા માળે સારવાર માટે ખસેડાયો હતો.
હાર્દિકને આજે મેડિકલ કરાવ્યા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની તૈયારી કરવામાં આવી હતી. હાલ તેને આઈસીયું ઓન વ્હીલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં હાર્દિક માટે આસીસીયુમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, મોટી સંખ્યામાં સમર્થકો તેની એમ્બ્યુલન્સની પાછળ સોલા સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યા હતા.