ભાજપના સાંસદ અનંત કુમાર હેગડે દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે કરવામાં આવેલા વાંધાજનક નિવેદનમાં બાદ પાર્ટી હાઈકમાન્ડને ગુસ્સો આવ્યો છે. આ કિસ્સામાં ભાજપ હાઈકમાન્ડે, સાંસદને તુરંત બિનશરતી માફી માંગવાનું કહી શકાય છે.
ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું છે કે, કર્ણાટકના નેતાની ટિપ્પણી નિંદાકારક છે અને પાર્ટીના નેતૃત્વ તેમનાથી નારાજ છે. તેમને બિનશરતી માફી માંગવા કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ મામલે પાર્ટીએ તેમની નારાજગી વ્યક્ત કરી છે અને પરિસ્થિતિ સ્પષ્ટ કરવા જણાવ્યું છે. મહાત્મા ગાંધીનું કોઈપણ અપમાન બિલકુલ સ્વીકાર્ય નથી.
આપને જણાવી દઇએ કે, પોતાના નિવેદનોથી વિવાદોનાં વંટોળ ઉભા કરવા માટે પ્રખ્યાત પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કથિત રીતે બેંગલુરુમાં એક કાર્યક્રમમાં એવો દાવો કર્યો હતો કે આખી સ્વતંત્રતા ચળવળ બ્રિટીશરોની મંજૂરી અને ટેકોથી ચલાવવામાં આવી હતી અને ગાંધીના નેતૃત્વમાં આંદોલન ‘નાટક’ હતું.
પૂર્વ કેન્દ્રીય મંત્રીને આશ્ચર્ય થયું કે, રાષ્ટ્રપિતાને ‘મહાત્મા’ કેમ કહેવામાં આવે છે? પોતાનાં નિવેદન બાદ ભાજપની કેન્દ્રીય નેતાગીરી દ્વારા દર્શાવવામાં આવેલી નારાજગી બાબતે પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, લોકસભાના સાંસદ પક્ષના શિસ્તબદ્ધ સભ્ય છે અને તેમને જે કહેવામાં આવ્યું છે તે તેઓ કરશે. આપને જણાવી દઇએ કે, હેગડેનો કટ્ટર હિન્દુત્વ તરફનો ઝુકાવ હોવાનું મનાય છે અને તે અગાઉ પણ વિવાદિત નિવેદનો આપી ચૂક્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન