વડોદરા/ હું સારી પુત્રી ન બની શકી, લખીને ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

વડોદરામાંથી ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની ગયા ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

Gujarat Vadodara
વિદ્યાર્થિનીએ
  • વડોદરામાં વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
  • ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
  • ગળે ફાંસો ખાઈ કર્યો વિદ્યાર્થિનીએ આપઘાત
  • સુસાઇડ નોટમાં ડિપ્રેશનમાં હોવાથી આપઘાત

નાના બાળકોની આત્મહત્યાના કિસ્સાઓ દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. જે ખૂબ જ ચિંતા નું મોટું કારણ છે. આવી જ એક ઘટના વડોદરામાંથી સામે આવી છે. વડોદરામાંથી ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની ગયા ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આપઘાત કરતાં પહેલા વિદ્યાર્થિનીએ લખેલી ચિઠ્ઠી પણ પોલીસને મળી આવી હતી. જેમાં તેણે ડિપ્રેશનમાં આવીને આપઘાત કર્યો હોવાનું લખ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ આદરી હતી.

આ પણ વાંચો :અખબારનગર વિસ્તારમાં દીવાલ ધરાશાયી, એક વ્યક્તિ દટાયો કાટમાળમાં

આ મામલે મળતી માહિતી અનુસાર, શહેરના સમા સાવલી રોડ પર રહેતા પરિવારમાં માતા-પિતા બંને નોકરી કરે છે અને તેમને સંતાનમાં 2 પુત્રીઓ છે. મંગળવારે દિવસ દરમિયાન માતા-પિતા નોકરી પર ગયાં હતાં, જ્યારે તેમની બંને પુત્રી ઘેર હતી. જે પૈકી મોટી 16 વર્ષની ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી સગીરા આખો દિવસ તેના રૂમમાં હતી. જેથી તેની નાની બહેનને એમ હતું કે, તેની બહેન તેના રૂમમાં વાંચી રહી છે. જ્યારે માતા-પિતાએ રૂમનો દરવાજો ખખડાવતાં બંધ જણાયો હતો. જેથી દરવાજો બળજબરીથી ખોલીને જોતાં સગીરાએ ગળેફાંસો લગાવી લીધેલો જોવા મળ્યો હતો. આ મામલે હરણી પોલીસને જાણ કરાતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીએ અંતિમ પગલું ભરતાં પહેલાં અંગ્રેજીમાં એક પાનાની ચિઠ્ઠી લખેલી હતી. જેમાં તેણે વારંવાર જણાવ્યું હતું કે, હું ડિપ્રેશનમાં છું અને મને આશા હતી કે મારો સમય સારો આવશે પણ સારો સમય આવ્યો નહીં. હું સારી પુત્રી ન બની શકી. તેણે ચિઠ્ઠીમાં સેડનેસ અને હોપલેસ જેવા શબ્દોનો પણ પ્રયોગ કર્યો છે અને તેના આધારે તે માનસિક ડિપ્રેશનમાં હોવાનું પોલીસને લાગી રહ્યું છે.

આ પણ વાંચો :રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2560 કેસ નોંધાયા, જયારે 24 દર્દીના મોત થયા

આ પણ વાંચો :જન્મદાતા જ બન્યા યમરાજ, ભવનગરમાં પિતાએ જ દસ્તાના ઘા ઝીંકીને પુત્રીની કરી હત્યા

આ પણ વાંચો :બીજા શહેરોની સરખામણીમાં 91 ટકા રાજકોટવાસીઓએ કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ લીધા

આ પણ વાંચો :અમદાવાદના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને મળ્યો ગ્રીન બિલ્ડિંગનો એવોર્ડ