શરીરના કોઈપણ ભાગ બળી જાય એ ખૂબ પીડાદાયક છે. ઘણી વખત રસોઈ કરતી વખતે, ગરમ પાણીથી અથવા કોઈ ગરમ વસ્તુ અડવાથી ત્વચા દાઝી જાય છે. ત્વચા પર ફોલ્લાઓ પડી જાય છે, જે તેનાથી વધુ તકલીફ પડે છે. આ સ્થિતિમાં, કેટલાક ઘરેલું ઉપાયો તમને મદદ કરી શકે છે. ચાલો આપણે જાણીએ.
1 જ્યારે પણ કોઈ કારણોસર ત્વચા દાઝી જાય છે, તો તરત જ તેના પર ઠંડુ પાણી રેડવું, જેનાથી ફોલ્લા નહીં પડે. ત્યારબાદ કાપડને ઠંડા પાણીમાં પલાળો અને તેને દાઝેલા ભાગ પર લપેટી દો, જેનાથી ઓછી પીડા થશે.
2- એલોવેરા દાઝેલા ભાગ પર લગાવવાથી ખૂબ જ ફાયદો કરે છે. પહેલા તેનો પલ્પ દાઝેલા ભાગ પર લગાવી શકાય છે. તેનાથી સ્કીન પર ડાઘ પડશે નહીં અને બળતરા ઓછી થશે. પાણી અથવા દૂધથી દાઝેલી ત્વચાને ધોયા બાદ એલોવેરાને લગાવી દો.
લાખો ખર્ચ કર્યા પછી પણ નહીં મળે આ શાકભાજી જેવો ફાયદો, પોષક તત્વોથી છે ભરપૂર
3- બટેટા અથવા બટાકાની છાલને દાઝેલી ત્વચા પર લગાવવાથી રાહત મળશે, આ માટે બટાટાને બે ભાગમાં કાપીને તેના પર રાખો દાઝ્યા પછી તરત જ આમ કરવાથી ખૂબ ફાયદો થશે.
4-હળદરના પાણીને તરત જ કોઈ દાઝેલા ભાગ પર લગાવવાથી પીડા ઓછી થાય છે અને રાહત મળે છે. તેથી તેનો ઉપયોગ પ્રાથમિક સારવાર તરીકે થઈ શકે છે
હોળિકા દહન બાદ તેની રાખને ઘરની આ દિશામાં રાખવાથી થાય છે કમાલનો ફાયદો