Vastu Tips: હિંદુ ધર્મમાં પૌરાણિક સમયથી જુદા જુદા પશુ-પક્ષીઓનું જતન કરવાની પરંપરા જોવા મળી છે. ભારતમાં જ્યોતિષના મતે પશુ-પક્ષીઓને શુભ અને અશુભ બંને માનવામાં આવ્યા છે. પોપટ, મેના, મોર વગેરે ઘણા પક્ષીઓ છે જેને ઘરમાં પાળવાની સલાહ આપવામાં આવે છે. એવા ઘણા પક્ષીઓ છે જેને ઉછેરવાથી મનોરથો પૂર્ણ થાય છે.
ચકલીનું ઘરમાં આવવું કે માળો બનાવવો શુભ માનવામાં આવે છે. માન્યતા મુજબ ચકલીઓનું ઘરમાં હોવું ખુશીઓ લાવે છે તેવું કહેવાય છે. એ જ રીતે, સવારે પોપટ, મોર વગેરે જોવા મળે તો તે જ્યોતિષમાં શુભ માનવામાં આવે છે. તેમને જોવાથી દિવસ સારો પસાર થાય તેવું કહેવાય છે.
સવારે કૂકડો કૂકડે કૂક કરે ચો પણ તે શુભ મનાય ચે.ગામડાઓમાં આજે પણ કૂકડાના અવાજથી લોકો ઉઠતા હોય છે. અવાજ સાંભળવાથી જીવનમાં સૌભાગ્ય આવે છે. ઘરથી નીકળતા જો રસ્તામાં કૂતરો, પોપટ, મોર, કબૂતર, મેના, ચકલી દેખાય તો પણ શુભ સંકેત છે.
કાગડો, ગીધ વગેરે જો માંસનો ટુકડો લઈ જતા દેખાય તો પણ શુભ માનવામાં આવે છે. જો પક્ષી માંસનો ટુકડો પાડી દે તો તમે જીવનમાં ઉન્નતિ કરશો એવું પણ માનવામાં આવે છે.
આ પણ વાંચો:તમારૂં ખીસ્સું ભરેલું રહેતું નથી? આ વસ્તુઓને ફેંકી દો અને જુઓ કમાલ!
આ પણ વાંચો:રવિવારના દિવસે ભગવાન સૂર્યની આ રીતે પૂજા કરો અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવો
આ પણ વાંચો: નવરાત્રિના પ્રથમ દિવસે આ ગ્રહોની યુતિ ધનવાન બનાવી શકે છે…