સમગ્ રાજય માં તાઉતે વાવાઝોડાએ તબાહી મચાવી છે .જેમાં અમદાવાદ શહેરમાં હજુ તો સત્તાવાર રીતે ચોમાસું બેઠું નથી તો પણ પણ બે દિવસથી જામેલા કમોસમી વરસાદના કારણે ભુવાની મૌસમ આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ હોઈ તેવું જોવા મળ્યું હતું . શહેરમાં બે દિવસમાં બે ભૂવા પડેલા જોવા મળી રહ્યા છે .જેમાં ગઈકાલે અમદાવાદ શહેરના ભૈરવનાથ રોડ ઉપર બીઆરટીએસ બસ સ્ટેશન પાસે ભુવો પડ્યો હતો. આજે વસ્ત્રાપુરના હિમાલયા મોલ રોડ ઉપર ભુવો પડ્યો હતો જેમના પગલે અમદાવાદ મ્યુનિ. તંત્રએ ભુવાને બેરીકેટ લગાડવાની કામગીરી શરૂ કરી દીધી છે.
ચોમાસુ આવે તે પહેલા જ તાઉતે વાવોઝોડાની અસરના પગલે બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે જેના કારણે ભૂવા પડતા જોવા મળી રહ્યો છે, બે દિવસમાં બે ભૂવા પડી ચુક્યા છે. .