West Bengal News : હાઈકોર્ટે કહ્યું કે ચૂંટણી 7મી અને 13મી મેના રોજ છે. અમે કહીશું કે ચૂંટણી ન થવી જોઈએ. ચૂંટણીનો શું ઉપયોગ? કોલકાતામાં પણ એવી 23 જગ્યાઓ છે જ્યાં ઉજવણી કરવામાં આવી હતી પરંતુ કોઈ અપ્રિય ઘટના બની નથી. આદર્શ આચારસંહિતા અમલમાં છે ત્યારે આવું થતું હોય તો રાજ્ય પોલીસ શું કરે છે? કેન્દ્રીય દળો શું કરી રહ્યા, બંને અથડામણ રોકી શક્યા નહીં. અત્યાર સુધીમાં કેટલા લોકોની ધરપકડ થઈ?
બંગાળમાં રામ નવમી પર થયેલી હિંસા અંગે કોલકાતા હાઈકોર્ટે કડક ટિપ્પણી કરી છે. કોર્ટે બંગાળ સરકારને સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું કે તે એવા મત વિસ્તારોમાં લોકસભાની ચૂંટણીને મંજૂરી આપશે નહીં જ્યાં રામ નવમીની ઉજવણી દરમિયાન સાંપ્રદાયિક હિંસા થઈ હોય. મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવગનમની અધ્યક્ષતાવાળી બેંચની આ ટિપ્પણી 17 એપ્રિલે રામ નવમીના શોભાયાત્રા દરમિયાન મુર્શિદાબાદમાં થયેલી હિંસા પર સુનાવણી દરમિયાન આવી છે.
કોર્ટે કહ્યું કે જો લોકો શાંતિ અને સૌહાર્દથી રહી શકતા નથી, તો અમે કહીશું કે ચૂંટણી પંચ આ જિલ્લાઓમાં સંસદીય ચૂંટણી ન કરાવી શકે. આ એકમાત્ર રસ્તો છે. આચારસંહિતા અમલમાં હોવા છતાં જો લોકોના બે જૂથ આમ લડતા હોય તો તેઓ કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિને લાયક નથી.
હાઈકોર્ટે કહ્યું કે ચૂંટણી 7મી અને 13મી મેના રોજ છે. અમે કહીશું કે ચૂંટણી ન થવી જોઈએ. ચૂંટણીનો શું ઉપયોગ? કોલકાતામાં પણ એવી 23 જગ્યાઓ છે જ્યાં ઉજવણી કરવામાં આવી હતી પરંતુ કોઈ અપ્રિય ઘટના બની નથી. આદર્શ આચારસંહિતા અમલમાં છે ત્યારે આવું થતું હોય તો રાજ્યની પોલીસ શું કરે છે? કેન્દ્રીય દળો શું કરી રહ્યા છે? બંને અથડામણ રોકી શક્યા નહીં. અત્યાર સુધીમાં કેટલા લોકોની ધરપકડ થઈ? આના પર રાજ્ય તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે CIDએ હવે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:રાજસ્થાનમાં PM મોદી અને કંગના રનૌત સહિત શિવરાજસિંહ ચૌહાણ બીજા તબક્કામાં કરશે જોરશોરથી પ્રચાર
આ પણ વાંચો: મુખ્તાર અંસારીનું મોત ઝેરથી થયું હતું? વિસરા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
આ પણ વાંચો: સેના પર સૌથી વધુ ખર્ચ કરવામાં વિશ્વનો ચોથો દેશ બન્યો ભારત,SIPRIના અહેવાલમાં કરવામાં આવ્યો દાવો