up electon/ કોંગ્રેસ દ્વારા પ્રચાર પૂરજોશમાં, પ્રિયંકા ગાંધી કાનપુરમાં કરશે રોડ શો

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા વાડ્રા ગાંધી કાનપુરમાં પ્રચાર કરશે, આ દરમિયાન તેઓ રોડ શો પણ કરશે. તેમનો રોડ શો મહારાજપુર વિધાનસભાથી શરૂ થશે અને ગોવિંદ નગરમાં સમાપ્ત થશે. આ દરમિયાન પ્રિયંકા ગાંધી મહિલાઓ સાથે વાતચીત કરશે.

Top Stories India
priyanka

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ પ્રચારમાં લાગી છે.ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા વાડ્રા ગાંધી કાનપુરમાં પ્રચાર કરશે, આ દરમિયાન તેઓ રોડ શો પણ કરશે. તેમનો રોડ શો મહારાજપુર વિધાનસભાથી શરૂ થશે અને ગોવિંદ નગરમાં સમાપ્ત થશે. આ દરમિયાન પ્રિયંકા ગાંધી મહિલાઓ સાથે વાતચીત કરશે.

આપને જણાવી દઈએ કે, રોડ શોમાં પ્રિયંકાની સાથે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પણ આવી શકે છે. જો કે, હજુ સુધી જિલ્લા વહીવટીતંત્રને તેમનું શેડ્યુલ મળ્યું નથી.

આ પણ વાંચો: CBI કોર્ટનો મોટો નિર્ણય, ઘાસચારા કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદ યાદવ દોષિત

પાંચ તબક્કાનો ચૂંટણી પ્રચાર
ઉત્તર પ્રદેશમાં બે તબક્કાનું મતદાન થયું છે અને હવે પાંચ તબક્કામાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે.ત્યારે કોંગ્રેસ પાસે રાજ્યમાં પ્રિયંકા ગાંધી સિવાય કોઈ મોટો ચહેરો નથી. હાલમાં પ્રિયંકા વાડ્રા કાનપુરની દસ વિધાનસભા સીટો પર કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે રોડ શો કરશે. કોંગ્રેસ મહાસચિવે ચૂંટણી પ્રચારની જવાબદારી પોતાના ખભા પર લીધી છે. ત્યાર બાદ પ્રિયંકા ગાંધી ગોવિંદ નગર વિધાનસભામાં મહિલા સંવાદ કાર્યક્રમમાં મહિલાઓ અને યુવતીઓ સાથે સંવાદ કરશે. પ્રિયંકા ગાંધીનો રોડ શો 16 ફેબ્રુઆરીએ બપોરે 1 વાગ્યે શરૂ થઈ સાંજે 7 વાગ્યા સુધી ચાલશે.

સોમવારે ચકેરી એરપોર્ટ પર ઉતરેલા કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા વાડ્રાએ પક્ષના પદાધિકારીઓ પાસેથી કાનપુરની દસ વિધાનસભા બેઠકો વિશે માહિતી લીધી હતી. તેમણે સંગઠન અને બૂથ સ્તરે પાર્ટીની સ્થિતિ વિશે વાત કરી અને બુધવારે યોજાનાર રોડ શોની તૈયારી કરવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો:સમાજવાદીના અધ્યક્ષ અખિલેશ યાદવે CM યોગી આદિત્યનાથ પર કર્યા આકરા પ્રહાર

આ પણ વાંચો:AIMIMના વડા ઓવૈસીએ હિજાબ મામલે આયર્લેન્ડને ટાંકીને મોદી સરકાર પર કર્યા પ્રહાર