દિલ્હી,
આ સવાલના જવાબમાં એ ચીફ માર્શલે કહ્યું કે હાલ અભિનંદનના મેડિકલ ટેસ્ટ કરવા આવી રહ્યા છે. તે મેડિકલી ફિટ થાય તો ફરી ફાઈટર પ્લેન ઉડાવી શકશે,
અભિનંદન વિશે પત્રકારો દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબમાં, ધનોઆએ કહ્યું કે તે ફરીથી વિમાન ઉડવું તે સંપૂર્ણ પણે તેમની તંદુરસ્તી પર આધાર રાખે છે. એર ચીફ માર્શલનું કહેવું છે કે એટલા માટે ઈંજેક્શન પછી તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. તેઓને જરૂરી સારવાર આપવામાં આવશે. એકવાર તે ફિટ થશે પછી ફરીથી ફાઇટર કોકપીટમાં બેસશે.
આપણે જણાવી દઈએ એક 14 ફેબ્રુઆરીએ, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પરના હુમલામાં 40 સૈનિકો માર્યા ગયા હતા. આના જવાબમાં, ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં આતંકવાદી સ્થળો પર હુમલો કર્યો હતો. આ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાની વાયુસેના તેના બીજા દિવસે ભારતીય વાયુ સીમામાં ત્રણ એફ -16 સાથે પ્રવેશ કર્યો હતો. આ પછી, તેમનું પીછો કરતા અભિનંદન વર્ધમાન પાકિસ્તાની સરહદમાં પ્રવેશ કરી ગયા હતા.
જણાવી દઈએ કે અભિનંદન વર્ધમાન મિગ -21 બાયસનમાં સવાર હતા અને પાકિસ્તાની સરહદને પાકિસ્તાનના એફ -16 પીછો કરતાપાકિસ્તાની સરહદમાં પ્રવેશી ગયા હતા.તેઓએ પાકિસ્તાની સૈન્યના અત્અયાઆધુનિક ફાઇટર પ્લેન એફ -16 તોડી પડ્યું હતું. આ પછી તેમને તેમના ફાઇટર પ્લેનથી ઇજેક્ટ થયું પડ્યું, જેમાં તેમને કમર અને પાંસળીમાં ઈજા થઈ હતી.
પાકિસ્તાની સેનાએ અભિનંદનને તેમની કસ્ટડીમાં લીધા હતા.તેમને પાકિસ્તાની સેના દ્વારા આશરે 60 કલાક સુધી તેમની કસ્ટડીમાં રાખ્યા હતા અને આખું રાઉન્ડ દબાણ પછી તેને છોડવાનો નિર્ણય લીધો હતો. જો કે, પાકિસ્તાનને અભિનંદનની વર્દી અને પિસ્તોલ તેમી પાસે જ રાખી લીધી હતી. અભિનંદન હાલમાં તેમનું ઈલાજ કરાવી રહ્યા છે.