કોરોના/ ઇન્ડિયા ટીમના સપોર્ટ સ્ટાફને કોરોના થતાં પ્રકેટિસ સેશન્સ રદ કરવું પડ્યું

ટીમ ઈન્ડિયા ફરી એક વખત કોરોનાના પડછાયામાં આવી ગઈ છે. ટીમના જુનિયર ફિઝિયો યોગેશ પરમાર 5 મી ટેસ્ટ મેચ પહેલા કોરોના પોઝિટિવ મળી આવ્યા છે

Top Stories
1 coach ઇન્ડિયા ટીમના સપોર્ટ સ્ટાફને કોરોના થતાં પ્રકેટિસ સેશન્સ રદ કરવું પડ્યું

ઈંગ્લેન્ડ પ્રવાસ પર હાલ ટેસ્ટ સીરિઝ રમતી ટીમ ઈન્ડિયા ફરી એક વખત કોરોનાના પડછાયામાં આવી ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમના જુનિયર ફિઝિયો યોગેશ પરમાર 5 મી ટેસ્ટ મેચ પહેલા કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ કારણે, ભારતીય ટીમને મેચ પહેલા તેનું પ્રેક્ટિસ સત્ર પણ રદ કરવું પડ્યું છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં શુક્રવારથી 5 મી ટેસ્ટ મેચ રમાવાની છે. BCCI ના એક વરિષ્ઠ અધિકારીએ પણ પુષ્ટિ કરી છે કે સપોર્ટ સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

 

coach ઇન્ડિયા ટીમના સપોર્ટ સ્ટાફને કોરોના થતાં પ્રકેટિસ સેશન્સ રદ કરવું પડ્યુંકોરોના સંક્રમિતના કેસ સામે આવ્યા બાદ ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓને તેમના રૂમમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. ચોથી ટેસ્ટ મેચ દરમિયાન કોરોના સંક્રમિત મળી આવ્યા બાદ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પહેલેથી જ કોરોન્ટાઇન છે. તેમના સિવાય ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર, બોલિંગ કોચ ભરત અરુણ અને ફિઝિયો નીતિન પટેલ પણ લંડનમાં કોરોન્ટાઇન  છે. હાલમાં ટીમ ઇન્ડિયા સાથે માત્ર બેટિંગ કોચ વિક્રમ રાઠોડ  જ છે. જો કે, આ કટોકટીઓ પછી પણ ટીમ ઈન્ડિયાએ ઓવલ ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ સામે શાનદાર જીત મેળવી હતી.

આ સાથે ભારતીય ટીમે 5 ટેસ્ટની શ્રેણીમાં  લીડ મેળવી લીધી છે. અત્યારે ભારતીય ટીમ પાસે 2-1ની લીડ છે અને જો ઇંગ્લેન્ડની ટીમ પાંચમી મેચમાં જીતી જાય તો પણ સિરીઝ તેમના હાથમાં નહીં રહે અને મેચ ટાઇ થઇ જશે. રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, શાર્દુલ ઠાકુર અને જસપ્રિત બુમરાહે ચોથી ટેસ્ટ મેચમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમ જે ફોર્મમાં જોવા મળે છે તે જોતા તે ટીમ ઈન્ડિયાનું પલ્લું ભારે લાગે છે.