ઉના,
વધુ એક ભારતીય માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોત નીપજ્યું ઉના તાલુકાના પાલડ ગામના માછીમાર ભીખાભાઇનું પાકિસ્તાન ની લાડી જેલમાં મોતના સમાચાર આવતા પરિવાર પર માતમ સર્જાયું છે.
વર્ષ 2017માં જખૌ બંદરેથી માછીમારી કરવા નિકળેલી બોટનું પાકિસ્તાન દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જેમાં ભીખાભાઈ પણ શામેલ હતા.
2018માં તેઓને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ લકવાગ્રસ્ત થઈ ગયા હતા. છતા પાકિસ્તાન દ્વારા તેઓને છોડવામાં આવ્યા ન હતા. અંતે આજે તેઓને મોતના સમાચાર આવ્યા.
હવે ભીખાભાઈનો મૃતદેહ વહેલીતકે માદરે વતન આવે તેવી આશા પરિવારજનો કરી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે ભીખાભાઈનો મોટો પુત્ર બીજલ પણ છેલ્લા 7 વર્ષથી દરિયામાંથી ગુમ થયો છે.