આજ થી 77 વર્ષ પહેલા ભારત અને પાકિસ્તાનું વિભાજન થયુ હતુ. આ વિભાજનના ઘાવ હજી પણ રૂઝાતા નથી. પાકિસ્તાનમાં રહેતા એક પ્રોફેસરના લાહોરમાં રહેતા એક ભારતીય મિત્રએ તેમને તેમના મુંબઇના ઘરના કેટલાક અવશેષો મોકલ્યા. અને આ ભેટ જોઇને પ્રોફેસરની આંખોમાં આસુ આવી ગયા. યાદોની આ ભેટને તેમની પાસે પહોંચતા 77 વર્ષ લાગી ગયા. સોશિયલ મીડિયા પર આ પ્રોફેસરના રિએક્શનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
1947ના વિભાજનનું દુ:ખ આજે પણ ભારત પાકિસ્તાનમાં રહેતા હજારો લોકોમાં છે. એવી જ સ્ટોરી પ્રોફેસર અમીન ચૌહાણની છે. પ્રોફેસરને તેમના જુના ઘરમાંથી અનમોલ વસ્તુ મળી છે. તેમના ભારતીય મિત્રએ તેમને ઘરનો દરવાજો અને કેટલીક વસ્તુઓ ભેટમાં પાકિસ્તાન મોકલી, પ્રોફેસરના ઘરમાંથી મળેલી વસ્તુ આશાનીથી નથી મળી.
આ વસ્તુ તેમના સુધી પહોંચતા 77 વર્ષ લાગ્યા હતા. આ તેમની અમુલ્ય વસ્તુ બટાલાથી મુંબઇ , દુબઇ, કરાંચી અને પછી લાહોર સુધીની લાંબી સફર કરીને પહોંચી છે. લાહોરમાં પ્રોફેસરનુ ઘર છે. આ ભેટ તેમને મળતા તેમની આંખોમાંથી આંસુ આવી ગયા. આ ભેટ તેમને તેમના ભારતીય મિત્ર પલવિંદર સિંહે મોકલી હતી.
પલવિંદર સિંહે બટાલાના ધોમન પિંડમાં તેમના પિતાના ઘરનો દરવાજો ભેટ કર્યો છે. ગિફ્ટ મળ્યા બાદ તેમના રિએક્શનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
આ પણ વાંચો:ગાય માતાને લઈ આ સંસ્થાનું અનોખું સેવા કાર્ય, રસ્તાઓ પર ફરતી ગાયોને પીવડાવ્યું મેંગો જ્યુસ
આ પણ વાંચો:ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ અકસ્માતથી મોત થયાની ઘટના