નેધરલેન્ડમાં ગર્ભવતી મહિલાઓ પર વાયગ્રાના મેડિકલ પરીક્ષણમાં 11 નવજાત બાળકોના મૃત્યુ પછી તરત જ વાયગ્રાને માતાઓને આપવા પાર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યું છે.
શોધમાં ભાગ લેનાર મહિલાઓને યૌન વર્ધક દવા વાયગ્રા આપવામાં આવતી હતી. આ પ્રયોગ એવી મહિલાઓ પર કરવામાં આતો હતો જેનામાં ગર્ભસ્થ શિશુની ગર્ભનાળી નબળી હતી.
એવું જણાઈ રહ્યું છે કે શરીરમાં લોહીનો પ્રવાહ વધારી દેનારી આ દવાથી બાળકોના શરીરને નુકશાન પહોંચે છે. વિશ્લેષકોનું કહેવું છે કે અસલમાં શું થયું એ સમજવા માટે વિસ્તૃત તપાસ કરવાની છે.
આ પહેલા બ્રિટેન, ઓસ્ટ્રેલિયા, અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવેલઈ આ શોધમાં કોઈ પણ પ્રકારનું સામે નહોતું આવ્યું. પરંતુ કોઈ ફાયદાના લક્ષણો પણ નહોતા ખબર પડ્યા.