ગુજરાત સહિત સમગ્ર દેશમાં નવરાત્રીની ધૂમ વ્યાપી છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના પીપળી કંપા નજીક આવેલા પત્ર ગ્રીન સોસાયટીમાં સાંસ્કૃતિક પરંપરા અંતર્ગત ગરબાઓ રમાય છે તેમજ સાંસ્કૃતિક વારસો ટકાવી રાખવા સહિત પરંપરાગત ગરબા સહિત ડોક્ટરની સુવિધાઓ સાથે નવરાત્રીનું વિશિષ્ટ આયોજન કરાયું છે.
પરંપરાગત નવરાત્રી દિન પ્રતિદિન ભુલાતી જઈ રહી છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના પીપળી કંપા નજીક આવેલા પત્રિક ગ્રીન સોસાયટીમાં આજે પણ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવાનું વિશિષ્ટ પ્રયાસ હાથ ધરાયો છે જે અંતર્ગત પાર્ટી કલ્ચરની જગ્યાએ ભારતીય પરંપરા અનુરૂપ નવરાત્રીની ઉજવણી કરાય છે તેમજ જગત જનની મા જગદંબાની આરાધના માટે નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે તો બીજી તરફ આજે પણ ભારતીય ગરબા ભુલાતા જઈ રહ્યા છે ત્યારે હાલના તબક્કે પાર્ટી કલ્ચરના પગલે નવરાત્રીમાં ભક્તિ તેમજ શક્તિ મેળવવાનો અનેરો અવસર હવે માત્ર નાચિદાન પૂરતો બની રહ્યો છે ત્યારે હિંમતનગરના અત્રિ ગ્રીનમાં ભારતીય ગરબાઓ પ્રાચીન નવરાત્રીની ઝાંખી કરાવી આપે છે.
હાલના તબક્કે વિવિધ નાત જાત અને ધર્મ સંપ્રદાયના વાળાઓ વધી રહ્યા છે ત્યારે અત્રિ ગ્રીનમાં એક પરિવારની જેમ નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે જેના પગલે નવરાત્રીમાં ખેલૈયાઓ પણ તેનો વિશેષ લાભ ઉઠાવી રહ્યા છે જોકે દિન પ્રતિદિન વધતા જતા હાર્ટ એટેકના બનાવો દપગલે આ વર્ષે અત્રિ ગ્રીનમાં મેડિકલ સુવિધા સાથે નવરાત્રીનું આયોજન કરાયું છે ત્યારે ખેલૈયાઓ માટે અત્રિ ગ્રીન માં ભારતીય સંસ્કૃતિના અનુરૂપ નવરાત્રીના આયોજનના પગલે ખેલૈયાઓમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે.
જોકે હાલના તબક્કે સાબરકાંઠા સહિત સમગ્ર દેશભરમાં ડીજેના તાલ થકી નવરાત્રી નું આયોજન થઈ રહ્યા છે ત્યારે નવરાત્રીનું સાચું મહત્વ દિન પ્રતિદિન ભુલાઈ રહ્યું છે આ દિવસોમાં જગદંબા ની વિશિષ્ટ શક્તિ તેમજ ભક્તિ મેળવવાનો અનેરો અવસર હોય છે ત્યારે હાલના તબક્કે પ્રાચીન ગરબાનું આયોજન કરવું તે આયોજકો માટે પણ વિમાસણનો વિષય બનતો હોય છે જોકે હિંમતનગરના પીપળી કંપા પાસે આવેલા અત્રિ ગ્રીનમાં આ વર્ષે પ્રાચીન સમયના ગરબાઓની સાથે અર્વાચીન સુવિધાઓનો તાલમેલ કરી ખેલૈયાઓ માટે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે સામાન્ય રીતે નવરાત્રીમાં માત્ર નાચગાન પૂરતા ગરબાઓનું આયોજન થતું હોય છે ત્યારે ભક્તિ અને શક્તિ માટે નવરાત્રીનું આયોજન થયું હોય તેવું આ પ્રથમ બનાવ છે.
હિંમતનગરના અત્રી ગ્રીનમાં નવરાત્રીનું આયોજન સ્થાનિક કક્ષાએ સમગ્ર વિસ્તાર માટે અનિલ પુરવાર થઈ રહ્યું છે પ્રાચીન ગરબાઓ સહિત અર્વાચીન સુવિધાઓનો સુમેર સદાયો છે ત્યારે અન્ય આયોજકો પણ આવો પ્રયાસ કરે તો ભારતીય સંસ્કૃતિ હજુ પણ રીતે ટકી રહે તે નક્કી છે.
આ પણ વાંચો:પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારનું મોત, પરિજનો પર આભ ફાટ્યું
આ પણ વાંચો:પિતાએ ઠપકો આપતા બાળકીઓ ઘર છોડીને નીકળી ગઈ અને પછી જે રીતે મળી…..
આ પણ વાંચો:સાંતલપુરમાં કેશુ મહારાજને ટ્રક ચાલકોએ ચખાડ્યો મેથીપાક, જુઓ વીડિયો
આ પણ વાંચો:વાપી GIDCમાં કંપનીમાં ભીષણ આગ, સોલવન્ટ કેમિકલ હોવાથી આગ વિકરાળ બની