બદલી/ સુરેન્દ્રનગર જિલ્લાના ચાર પોલીસ ઇન્સપેક્ટરોની આંતરિક બદલીના ઓર્ડર કરાયા

જીલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા કુલ-9 કર્મચારીઓને જુદા-જુદા સંવર્ગોમાં બઢતી આપતો હુકમ કરતા કર્મચારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યોં છે

Gujarat
7 3 સુરેન્દ્રનગર જિલ્લાના ચાર પોલીસ ઇન્સપેક્ટરોની આંતરિક બદલીના ઓર્ડર કરાયા

હરેશ દુધાત દ્વારા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ સુરેન્દ્રનગર જીલ્લાના તમામ પોલીસ અધિકારી, કર્મચારીઓને પોતાના પરીવારનો સભ્ય માની, તેઓની ફરજ દરમ્યાનની તમામ પ્રકારની મુશ્કેલીઓ દુર કરવા સતત પ્રયત્નશીલ રહી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ વિભાગમાં નાના સંવર્ગના કર્મચારીઓ જેમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ તથા એ.એસ.આઇ. કક્ષાના કર્મચારીઓ ગ્રાઉન્ડ લેવલથી કાર્ય કરતા હોય છે. તેઓ દ્વારા પોતાની ફરજના ભાગરૂપે આમ જનતા સાથે સતત સંપર્કમાં રહી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેથી તેઓનુ પ્રજા સાથેનું વર્તન, કાર્ય કરવાની પધ્ધતિ, અને કરેલ કાર્યવાહીનું પરિણામ સમગ્ર પોલીસ વિભાગના પ્રતિબિંબ રૂપે સ્થાપિત થતું હોય છે.

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જીલ્લાના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ તથા એ.એસ.આઇ. સંવર્ગના કર્મચારીઓ હર હમેશ પોતાની ફરજ ખંતપૂર્વક અને પુરી નિષ્ઠા અને ઉત્સાહથી બજાવે તે સારૂ તેઓની કામગીરીની કદર કરી, સમયાંતરે ઇનામ, પ્રશંશાપત્ર તથા બઢતી આપી સન્માનિત કરી તેઓના ઉત્સાહમાં વધારો કરવામા આવતો હોય છે.

હરેશ દુધાત દ્વારા ગત તારીખ 23/04/2022ના રોજ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા હથિયારી/બિન હથિયારી/બેન્ડ/માઉન્ટેડ સંવર્ગના કુલ 46 પોલીસ કર્મચારીઓને બઢતી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જે પરંપરાને જાળવી રાખી હાલ નિવૃતિ બદલીથી પડેલ ખાલી જગ્યાઓ ભરવા તાજેતરમાં બઢતી કમીટી યોજી જીલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા કુલ-9 કર્મચારીઓને જુદા-જુદા સંવર્ગોમાં બઢતી આપતો હુકમ કરતા કર્મચારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યોં છે.

હથિયારી હેડ કોન્સ્ટેબલમાંથી હથિયારી એ.એસ.આઇ. (01) હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાંથી હથિયારી હેડ કોન્સ્ટેબલ (09) બઢતીથી સન્માનિત થનારા પોલીસ કર્મચારીઓ દ્વારા જીલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતનો આભાર માની, પોતાની ફરજ ખુબ જ ઉત્સાહપૂર્વક અને પુરેપુરી નિષ્ઠાથી બજાવી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સુચારૂ જાળવી રાખવા પ્રતિબધ્ધતા દર્શાવી છે.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશભાઈ દુધાત દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને રાખી અને જિલ્લાના ચાર પી.આઇઓ.ની આંતરિક બદલી કરી નાખવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકના પીઆઈ વાઘેલાને સી.પી.આઈ ધ્રાંગધ્રા મુકી દેવામાં આવ્યા છે. બીજી તરફ આઈ.બી વલવીને લીંબડીથી ચોટીલા પીઆઇ તરીકે મુકી દેવામાં આવ્યા છે. ટી.બી હીરાણીને હુમન યુનિટમાંથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં મુકી દેવામાં આવ્યા છે. બીજી તરફ મિત્તલ ચૌધરીને મહિલા પોલીસ સ્ટેશનમાંથી સિટી પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે મૂકી અને બદલી કરી નાખવામાં આવી છે.