INX મીડિયા કેસમાં 100 દિવસથી કસ્ટડીમાં બંધ ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમ ઉપર તપાસ એજન્સી માટે હાજર રહેલા કેન્દ્રના બીજા સૌથી વરિષ્ઠ કાયદા અધિકારી તુષાર મહેતાએ ટોચની અદાલતને જણાવ્યું હતું કે ચિદમ્બરમ સાથે એક સાક્ષી રૂબરૂ મળ્યો હતો. સાક્ષી ફરી ગયો અને આ વાતનો ઇનકાર કર્યો “કારણ કે તે(પી.ચિદમ્બરમ) ખૂબ શક્તિશાળી છે”. અન્ય બે સાક્ષીઓ પણ પીછેહઠ કરી ચુક્યા છે. તે બતાવે છે કે સાક્ષીઓ ડરી ગયા છે. “
તમને જણાવી દઈએ કે પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ માટે, વિશેષ કોર્ટે બુધવારે ન્યાયિક કસ્ટડીમાં 11 ડિસેમ્બર સુધી વધારો કર્યો હતો. કોર્ટે ઇડીની દલીલોને નકારી કાઢી હોવા છતાં પણ તેમની જામીન અરજી નામંજૂર થતાં ચિદમ્બરમે નારાજગી વ્યક્ત કરી હતી.
ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની ખંડપીઠને જણાવ્યું હતું કે પુરાવા સાથે ચેડાં કરવા અને મારા છટકી જવાના ડરથી હાઇકોર્ટે મારી જામીન અરજી નામંજૂર કરી છે. તે જ સમયે, તેમના વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે આક્ષેપો ગંભીર હોવાને કારણે કોર્ટે ચિદમ્બરમની જામીન અરજી ફગાવી દીધી છે.
સિબ્બલે બુધવારે બેંચના નેતૃત્વ કરી રહેલા ન્યાયાધીશ આર ભાનુમતીને કહ્યું હતું કે, જો કોર્ટ દ્વારા ગંભીર આરોપોની અરજી સ્વીકારાય તો અમને કદી જામીન મળશે નહીં. કપિલ સિબ્બલે એમ પણ કહ્યું હતું કે ચિદમ્બરમને જેલમાં રાખવા એ હાઈકોર્ટના તણાવને નિર્દેશ કરે છે, જેનાથી ખોટો સંદેશ ફેલાઇ રહ્યો છે.
ચિદમ્બરમની દલીલ વિશે વાત કરતા સિબ્બલે કહ્યું હતું કે તેણે કોર્ટને જણાવ્યું હતું કે, “એવું લાગે છે કે જાણે તે કોઈ રંગા અને બિલા(ખુંખાર કેદી) છે.” જો મને જામીન પર મુકત કરવામાં નહીં આવે, તો તે આ દેશને ખોટો સંદેશ આપશે. ”જણાવી દઇએ કે, રંગા અને બિલા, બોમ્બેના બે ખતરનાક ગુનેગારો હતા, જેઓ આર્થર રોડ જેલમાંથી છૂટ્યા પછી તરત જ દિલ્હી આવ્યા હતા. અને તેમણે ઓગસ્ટ 1978 માં બે કિશોરોનું અપહરણ કર્યું હતું અને નિર્દયતાથી તેમની હત્યા કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.