ar rahman/ ‘જય હો’ જેના માટે એ.આર. રહેમાનને ઓસ્કાર મળ્યો, તે તેને  કમ્પોઝ નથી કર્યું, રામ ગોપાલ વર્માનો સનસનીખેજ દાવો

2008ની ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ અને તેનું ગીત ‘જય હો’ કોણ ભૂલી શકે? ઓસ્કાર ઉપરાંત આ ગીતે ગોલ્ડન ગ્લોબ, ગ્રેમી અને બાફ્ટા સહિતના ઘણા એવોર્ડ જીત્યા અને ભારતને વિશ્વભરમાં પ્રખ્યાત કર્યું.

Trending Entertainment
Beginners guide to 2024 04 20T115305.044 'જય હો' જેના માટે એ.આર. રહેમાનને ઓસ્કાર મળ્યો, તે તેને  કમ્પોઝ નથી કર્યું, રામ ગોપાલ વર્માનો સનસનીખેજ દાવો

2008ની ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ અને તેનું ગીત ‘જય હો’ કોણ ભૂલી શકે? ઓસ્કાર ઉપરાંત આ ગીતે ગોલ્ડન ગ્લોબ, ગ્રેમી અને બાફ્ટા સહિતના ઘણા એવોર્ડ જીત્યા અને ભારતને વિશ્વભરમાં પ્રખ્યાત કર્યું. ‘જય હો’નું મ્યુઝિક એઆર રહેમાને આપ્યું હતું અને આ ગીત પછી દરેક ખૂણે તેમના નામના નારા ગુંજવા લાગ્યા હતા. એ.આર. રહેમાને જે ગીત માટે ઓસ્કાર જીત્યો હતો તે ગીત વાસ્તવમાં તેને  કમ્પોઝ કર્યું ન હતું. તેને ગાયક સુખવિંદર સિંહે બનાવ્યું હતું. આ દાવો ડિરેક્ટર રામ ગોપાલ વર્માએ કર્યો છે. તેમને આ ગીત સાથે જોડાયેલી બીજી ઘણી વાતો શેર કરી છે. રામ ગોપાલ વર્માએ એ પણ જણાવ્યું કે એઆર રહેમાન અને સુભાષ ઘાઈ વચ્ચેના ઝઘડાનું મૂળ શું છે.

વાસ્તવમાં, ‘યુવરાજ’ના શૂટિંગ દરમિયાન સુભાષ ઘાઈ અને એઆર રહેમાન વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારબાદ રહેમાને તે ફિલ્મ માટે કમ્પોઝ કરેલું ગીત અન્ય ફિલ્મમેકરને આપ્યું હતું. બાદમાં એ.આર. રહેમાનને તે ગીત માટે ઓસ્કાર મળ્યો હતો. રામ ગોપાલ વર્માએ ‘ફિલ્મ કમ્પેનિયન’ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એઆર રહેમાન ફિલ્મ ‘યુવરાજ’માં સંગીત નિર્દેશક તરીકે કામ કરી રહ્યા હતા. ફિલ્મના દિગ્દર્શક સુભાષ ઘાઈ હતા.

સુભાષ ઘાઈએ સંગીત તૈયાર કરવાનું કહ્યું, એઆર રહેમાન વ્યસ્ત હતા

રામ ગોપાલ વર્માના જણાવ્યા અનુસાર, સુભાષ ઘાઈએ એઆર રહેમાનને ગીતનું સંગીત કંપોઝ કરવાનું કહ્યું હતું. પરંતુ રહેમાન પોતાના વ્યસ્ત શિડ્યુલને કારણે તેમ કરી શક્યો નહીં. જ્યારે ગીત કમ્પોઝ કરવામાં વિલંબ થયો ત્યારે સુભાષ ઘાઈ ગુસ્સે થઈ ગયા. પછી તેમને  ગુસ્સામાં એઆર રહેમાનને ઠપકો આપ્યો. એઆર રહેમાને કહ્યું કે તેઓ લંડનથી પાછા આવ્યા બાદ સુખવિંદર સિંહના સ્ટુડિયોમાં તેમને મળશે. જ્યારે એઆર રહેમાન લંડનમાં હતા ત્યારે તેમને ગાયક સુખવિંદર સિંઘને એક ધૂન કંપોઝ કરવા કહ્યું હતું. સુખીવંદર સિંહે પણ એવું જ કર્યું.

એઆર રહેમાને સુખવિન્દરની ટ્યુન બનાવી ત્યારે સુભાષ ઘાઈ ગુસ્સે થઈ ગયા.

જ્યારે સુભાષ ઘાઈ આપેલા સમય મુજબ સુખવિંદર સિંહના સ્ટુડિયો પહોંચ્યા તો તેમણે જોયું કે એ આર રહેમાનની જગ્યાએ તેઓ સંગીત આપી રહ્યા હતા. જ્યારે સુભાષ ઘાઈએ પૂછ્યું તો સુખવિન્દરે કહ્યું કે એઆર રહેમાને તેને ગીતનું સંગીત કંપોઝ કરવાનું કહ્યું હતું. એ જ સમયે એઆર રહેમાન પણ ત્યાં પહોંચી ગયો અને સુખવિંદરને પૂછ્યું કે શું સંગીત તૈયાર છે? અને પછી તેને સુભાષ ઘાઈને સંગીત વગાડ્યું અને તેમનો અભિપ્રાય પૂછ્યો.

સુભાષ ઘાઈ ગુસ્સે થઈ ગયા – મારી પાસેથી પૈસા લઈને સુખવિન્દરની ટ્યુન લેવાવાળા તમે કોણ છો?

રામ ગોપાલ વર્માના કહેવા પ્રમાણે, સુભાષ ઘાઈ ગુસ્સે થઈ ગયા અને એઆર રહેમાનને કહ્યું કે હું તમને કરોડો રૂપિયાની ફી ચૂકવું છું, તમને મ્યુઝિક ડાયરેક્ટર બનાવ્યા છે અને તમે સુખવિંદરની ધૂન મેળવી રહ્યા છો? મારી સામે આવું કહેવાની તમારી હિંમત પણ છે? જો મારે સુખવિંદરને સહી કરવી હોય તો હું તેને સહી કરીશ. પણ તું કોણ છે મારા પૈસા લેનાર અને સુખવિન્દરને મારી ફિલ્મની ટ્યુન કંપોઝ કરવા આપનાર.

એઆર રહેમાનનો યોગ્ય જવાબ – શું તમે જાણો છો કે ‘તાલ’નું સંગીત કેવી રીતે બન્યું હતું?

રામ ગોપાલ વર્માના કહેવા પ્રમાણે, આના પર એઆર રહેમાને સુભાષ ઘાઈને જવાબ આપ્યો હતો કે તમે મારા નામ પર પૈસા આપો છો, મારા સંગીત માટે નહીં. જો હું આ ગીતને સમર્થન આપું છું તો તે મારું ગીત છે એટલે કે એઆર રહેમાનનું સંગીત છે. શું તમે જાણો છો કે મેં ‘તાલ’નું સંગીત કેવી રીતે બનાવ્યું? કોણ જાણે તે મારા ડ્રાઈવરે બનાવ્યું હતું કે અન્ય કોઈએ.

સુભાષ ઘાઈએ ગીત ન રાખ્યું, બાદમાં તેમને ઓસ્કાર મળ્યો

આ ચર્ચા પછી સુભાષ ઘાઈએ ‘યુવરાજ’માં તે ગીત ન રાખ્યું અને એઆર રહેમાન સાથે ઝઘડો થયો. બાદમાં એ.આર. રહેમાને તે ગીત ‘સ્લમડોગ મિલિયોનેર’માં વાપર્યું અને ઓસ્કાર એવોર્ડ જીત્યો. ફિલ્મ ‘યુવરાજ’ વર્ષ 2008માં રિલીઝ થઈ હતી અને તે ફ્લોપ રહી હતી. પરંતુ ફિલ્મના ગીતો સુપરહિટ રહ્યા હતા. જેમાં સલમાન ખાન અને ઝરીન ખાન લીડ રોલમાં હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીગબોસ 17ના આ કપના બ્રેકઅપની ચર્ચા, ઇન્સ્ટાગ્રામ દ્વારા મળ્યા સંકેત

આ પણ વાંચો:સલમાન ખાનના ઘરે પહોંચ્યા એકનાથ શિંદે, મીટિંગ દરમિયાન સલીમ ખાન પણ રહ્યા હાજર

આ પણ વાંચો:ઇજાગ્રસ્ત ચહેરો, સૂજી ગયેલી આંખો અને લોહીથી લથપથ… પ્રિયંકા ચોપરાને શું થયું?