@સલમાન ખાન. મંતવ્ય ન્યૂઝ-જામનગર
જામનગર શહેર જીલ્લામાં દીકરીઓ કેટલી સલામત તે સવાલ ઉઠી રહ્યો છે. એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી હતી ત્યાં જ વધુ એક વખત શિક્ષણ જગતને લાંછન લાગે તેવો એક કિસ્સો જીલ્લાના કાલાવડમાં સામે આવ્યો છે. જેમાં સરકારી શાળાના આચાર્યની કરતુત પોલીસમાં નોંધાતા પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
rajkot / નામચીન બુકી રાકેશ રાજદેવ સહિત છ શખ્સો સામે અમદાવાદ ક્રાઈમ બ્…
bihar elections / રવિશંકરે કહ્યું – કોંગ્રેસના નેતાઓ ભારત કરતા પાકિસ્તાન…
Panjab / કૃષિ કાયદા અંગેના આંદોલનથી પંજાબ જતી ટ્રેનોને રદ કરાઈ, કિસાન…
કાલાવડ ગ્રામ્ય પોલીસ પાસેથી પ્રાપ્ત થઇ રહેલી વિગતો પ્રમાણે કાલાવડ તાલુકાના નાના પાંચદેવડા ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય સામે આક્ષેપ થયા મુજબ ઓનલાઇન શિક્ષણની સમજૂતીના નામે શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને બોલાવી અને તેની સાથે અડપલાં કર્યાની ઘટનાએ કાલાવડ પંથકમાં હાહાકાર મચાવી દીધો છે. મામલાની ગંભીરતાને જોઇને કાલાવાડ ગ્રામ્ય પોલીસે તુરંત જ જેના પર આક્ષેપ છે તે આચાર્ય બાબુ સંઘાણી સામે ગુન્હો નોંધી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.