Not Set/ જીજ્ઞેશ મેવાણી રાજકોટની મુલાકાતે/ સૌરાષ્ટ્રમાં બનેલી ગુનાઈત ઘટના અંગે માર્યા ચાબખા

દલિત સમાજના નેતા અને વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી રાજકોટની એક દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યા તેમણે વિવિધ મુદ્દે રાજ્યની રૂપાણી સરકાર પર વાર કર્યા હતા. અને મુખ્યમંત્રી રૂપાણી દરેક મુદ્દે વિધાનસભામાં ખુલાસો કરે તેવું જણાવ્યું હતું. દલિત સમાજના નેતા અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજરોજ રાજકોટની એક દિવસની મુલાકાતે આવી પહોંચ્યા હતા. ત્યારે આ […]

Gujarat Rajkot
જીગ્નેશ મેવાણી જીજ્ઞેશ મેવાણી રાજકોટની મુલાકાતે/ સૌરાષ્ટ્રમાં બનેલી ગુનાઈત ઘટના અંગે માર્યા ચાબખા

દલિત સમાજના નેતા અને વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી રાજકોટની એક દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યા તેમણે વિવિધ મુદ્દે રાજ્યની રૂપાણી સરકાર પર વાર કર્યા હતા. અને મુખ્યમંત્રી રૂપાણી દરેક મુદ્દે વિધાનસભામાં ખુલાસો કરે તેવું જણાવ્યું હતું.

દલિત સમાજના નેતા અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજરોજ રાજકોટની એક દિવસની મુલાકાતે આવી પહોંચ્યા હતા. ત્યારે આ સમયે શુક્રવારના રોજ આઠ વર્ષની બાળકીના અપહરણ અને દુષ્કર્મ મામલે નિવેદન આપતા જીગ્નેશ મેવાણી જણાવ્યું હતું કે જે ઘટના બની છે તે ખુબ જ શરમ જનક બાબત છે.

ખુદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઘટનાસ્થળ પર જવું જોઈએ અને બનાવ અંગે પ્રતિક્રિયા પણ આપવી જોઈએ. તો શુક્રવારના રોજ રાજકોટની રાષ્ટ્રીયશાળા કે જ્યાં મહાત્મા ગાંધીજીએ ઉપવાસ કર્યા હતા તેના ક્વાર્ટર માંથી પાંચ લાખનો વિદેશી દારૂ ઝડપાયા મામલે જીગ્નેશ મેવાણી એ ઘટનાને શરમજનક ગણાવી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તો સાથે જ બિન સચિવાલય ની પરીક્ષાના cctv સામે આવ્યા છે તેમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની તેમણે જણાવ્યું હતું તો સાથે જ ભ્રષ્ટાચાર માં સરકારની સંડોવણી હોવાના પણ તેમને આરોપો લગાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.