બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમે પ્રજાસત્તાક દિન પર ચાહકોને ભેટ આપી છે. તેણે તેની આગામી ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’ ની નવી રિલીઝ ડેટની ઘોષણા કરી છે. ઉપરાંત, તિરંગો લહેરાવીને, તેમનો ફોટો શેર કરીને, તેમણે પ્રજાસત્તાક દિવસની પ્રશંસકોને અભિનંદન પાઠવ્યા છે. જ્યારે વર્ષ 2018 માં રિલીઝ થયેલી પહેલી ફિલ્મ ‘સત્યમેવ જયતે’ માં ભ્રષ્ટાચાર સાથેના વ્યવહારની વાર્તા બતાવવામાં આવી હતી, જ્યારે તેની સિક્વલમાં પોલીસ, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને સામાન્ય માણસોને સંડોવતા દુનિયામાં ભ્રષ્ટાચારની કથા દર્શાવવામાં આવી છે.
જ્હોન અબ્રાહમે જણાવ્યું હતું કે આ મૂવી ઈદ નિમિત્તે 14 મે 2021 ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. અગાઉ આ ફિલ્મ 12 મેના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ હવે આ તારીખમાં 2 દિવસ વધારી દેવામાં આવ્યા છે.
મિલાપ ઝવેરી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં મનોજ બાજપેયી અને દિવ્યા ખોસલા કુમાર પણ છે. આ 2018 ના એક્શન ડ્રામા ‘સત્યમેવ જયતે’ની સિક્વલ છે. ભૂષણ કુમાર આ ફિલ્મના નિર્માતા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…