રેવડી કલ્ચર/ કેજરીવાલ ચૂંટણીમાં વોટ મેળવવા યુવાનોને વિશ્વાસમાં લઇ હથેળીમાં ચાંદ બતાવવાની કોશિશ કરી રહ્યા છે  :નવઘણજી ઠાકોર

ગુજરાત માં ફક્ત ભાજપ અને કોંગ્રેસ બે જ રાજકીય પાર્ટી ચાલે છે ત્રીજી રાજકીય પાર્ટી ને ગુજરાત ની પ્રજાએ ક્યારેય સમથૅન આપ્યું નથી : નવધણજી ઠાકોર

Gujarat Others
V4 3 કેજરીવાલ ચૂંટણીમાં વોટ મેળવવા યુવાનોને વિશ્વાસમાં લઇ હથેળીમાં ચાંદ બતાવવાની કોશિશ કરી રહ્યા છે  :નવઘણજી ઠાકોર
  • કેજરીવાલ ખોટી ‘રેવડી’ વેચવાનું બંધ કરે : નવઘણજી ઠાકોર

આગામી તારીખ 11મી સપ્ટેમ્બર ના રોજ ચોટીલા મુકામે આયોજિત કોળી ઠાકોર સમાજના મહા સંમેલનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહેવાના હોવાથી અને તેઓ દ્વારા કોળી ઠાકોર સમાજની જે પણ માંગણીઓ છે તે તમામ માગણીઓ ગુજરાતમાં આપ ની સરકાર બનશે તો પરિપૂર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યુ છે. તેવી વાત મીડિયાનાં માધ્યમથી વહેતી થતાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ એકતા સમિતિના અધ્યક્ષ નવધણજી ઠાકોરે આ વાત તદ્દન ખોટી હોવાનું જણાવ્યુ હતું.

ઠાકોર કોળી સમાજના આગેવાનોની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી અને કાયૅકારી પ્રદેશ પ્રમુખ મકવાણા સાથે તાજેતરમાં યોજાયેલી બેઠકમાં તેઓ દ્વારા ગુજરાતમાં કોળી ઠાકોર સમાજની જે પણ માંગણીઓ હોય તેને કોંગ્રેસ ની સરકાર બનશે તો તમામ માંગ પુરી કરવાનું વચન આપ્યું હોવાનું જણાવ્યું હતું.

V4 4 કેજરીવાલ ચૂંટણીમાં વોટ મેળવવા યુવાનોને વિશ્વાસમાં લઇ હથેળીમાં ચાંદ બતાવવાની કોશિશ કરી રહ્યા છે  :નવઘણજી ઠાકોર

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કેજરીવાલ સામે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે એક સમયે કોળી, ઠાકોર સહિત એસસી એસટી અને ઓબીસી જ્ઞાતિઓનો વિરોધ કરનાર આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ સમાજનાં વોટ મેળવવા સમાજના કેટલાક યુવાનો ને વિશ્વાસ માં લઇ હથેળીમાં ચાંદ બતાવવાની કોશિશ કરી રહ્યા છે.

ત્યારે વર્ષો થી ગુજરાત માં બે જ રાજકીય પાર્ટી ભાજપ અને કોંગ્રેસ ચાલી આવી છે ગુજરાત ની પ્રજાએ કયારેય ત્રીજી રાજકીય પાર્ટી ને સમથૅન આપ્યું નથી ત્યારે કેજરીવાલ પોતાની ખોટી રેવડી વેચવાનું બંધ કરી દે તેવા તીર કેજરીવાલ સામે તાક્યા હતા.આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોળી ઠાકોર સમાજની સાથે એસસી એસટી અને ઓબીસી સમાજના લોકો કોંગ્રેસે આપેલી ખાતરી ને લઈને કોંગ્રેસ સાથે રહેશે તેવો હુંકાર કર્યો હતો.