ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકારણ પણ ગરમાયું છે, આમ આદમી પાર્ટી આ વખતે રાજ્યમાં ચૂંટણી લડવાની છે તે દિલ્હીની શિક્ષા નીતિને લઇને ગુજરાતમાં પુરજોશમાં પ્રચાર કરી રહી છે.શિક્ષણ મુદ્દે ગુજરાતમાં ભાજપ સરકારે સામે પ્રહાર કરી રહી છે ત્યારે દિલ્હીમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેજરીવાલ સરકાર શિક્ષણ મામલે મોટી મોટી વાતો કરી રહી છે પરતું એક પણ નવી કોલેજ બનાવી નથી. આ અંગે આરટીઆઇ એક્ટિવસ્ટ ડો.યગ્નેશ દવેએ ખુલાસો કર્યો છે, સરકારે રાજ્યમાં કેટલી નવી કોલેજ ખોલી છે તે અંગેની તેમણે એક આરટીઆઇ કરી હતી જેમાં જાણવા મળ્યું છે કે એક પણ નવી કોલેજ કેજરીવાલ સરકારે બનાવી નથી. આ અંગે ડો.યગ્નેશ દવેએ ટ્વિટ કરીને આ માહિતી શેર કરી છે.
शिक्षा जगत में बदलाव लाने का झूठ बोलने वाले दिल्ली के मुख्यमंत्री @ArvindKejriwal ने आज तक दिल्ली में एक भी कॉलेज नया नहीं बनवाया है! RTI से हुआ पर्दाफाश हुआ !@abpasmitatv @Zee24Kalak @News18Guj @tv9gujarati @SandeshNews1 @GSTV_NEWS @BJP4Gujarat pic.twitter.com/cP2gVlyQfg
— Dr.Yagnesh Dave (@yagnesh_dave) September 13, 2022
ઉલ્લેખનીય છે કે કેજરીવાલ સરકારનો શૈક્ષણિક નીતિ મામલે પર્દાફાશ આરટીઆઇ કાર્યકરે કરી છે. દિલ્હીમાં એક પણ નવી કોલેજ બનાવી નથી.