ચીનની ચાલબાજીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. તેમણે ફરી એકવાર પૂર્વી લદ્દાખ સરહદ પર નવા તંબુ ઉભા કરવાનું શરૂ કર્યું છે. ગુપ્તચર અહેવાલો અનુસાર, ચીને આઠ સ્થળોએ તંબુ લગાવી દીધા છે અને બંકરો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. લદ્દાખમાં છેલ્લા દોઢ વર્ષથી મડાગાંઠ ચાલી રહી છે.
ગુપ્ત માહિતીના સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ સૈનિકો માટે કારાકોરમ પાસ નજીક વહાબ, જીલગા, પિયુ, હોટ સ્પ્રિંગ્સ, ચાંગ લા, તાશીગંગ, માંઝા અને ચુરુપ સુધી તંબુ ગોઠવ્યા છે. હાલની છાવણીઓ ઉપરાંત ચીની સેના માટે નવા કેમ્પ બનાવવામાં આવ્યા છે. આ પરથી તેનો ઈરાદો સમજી શકાય છે કે તે આ વિસ્તાર છોડવા માંગતો નથી. જોકે, લશ્કરી કમાન્ડર સ્તરની મંત્રણાના અનેક રાઉન્ડ થયા છે. આને કારણે, બંને દેશોએ ઘણા સ્થળોએથી તેમના દળોને પાછા ખેંચી લીધા છે, પરંતુ વર્તમાન મુકાબલા પહેલાની સ્થિતિ હજુ પણ પુન: સ્થાપિત થઈ નથી.
તમને જણાવી દઈએ કે, પૂર્વ લદ્દાખમાં સરહદી વિવાદને લઈને તણાવ સર્જાયા બાદ બંને દેશોએ 50-50 હજાર સૈનિકો તૈનાત કર્યા હતા. તેમની પાસે અત્યાધુનિક હથિયારો અને મિસાઇલો પણ છે. ભારત પણ સંપૂર્ણ તકેદારી રાખી રહ્યું છે. ચીને નવી એરસ્ટ્રીપ્સ અને હેલિપેડ બનાવ્યા છે. ચીને હોતન, કાશગર, ગાર્ગુંસા, લ્હાસા-ગોંગગર અને શિગાત્સે એરબેઝને આધુનિક સંસાધનોથી સજ્જ કર્યા છે.
ચીની ડ્રોન પણ જોવા મળ્યા હતા
ભારતીય સેનાએ પૂર્વ લદ્દાખ સેક્ટરમાં ચીની ડ્રોન ઉડતા પણ જોયા છે. આ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ પ્રવૃત્તિઓ મુખ્યત્વે દોલતબેગ ઓલ્ડી સેક્ટર વિસ્તારોમાં હોટ સ્પ્રિંગ્સ અને ગોગરા હાઇટ્સ સાથે જોવા મળી છે જે બંને પક્ષો વચ્ચે વિવાદનો મુદ્દો રહ્યો છે.
તમને જણાવી દઈએ કે ચાઈનાએ વર્ષ 2012-13થી દૌલત બેગ ઓલ્ડી સેક્ટરમાં તેની ગતિવિધિઓ વધારી દીધી છે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે એપ્રિલ-મે મહિનામાં ભારત અને ચીન વચ્ચે લશ્કરી તણાવની સ્થિતિ ઉભી થઈ હતી. બંને દેશોની સેનાઓ વચ્ચે હિંસક અથડામણ પણ થઈ.
મતભેદો અને સમસ્યાઓ હોવી અસામાન્ય નથી: મિસરી
દરમિયાન, ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસરીએ ચીન-ભારત સંબંધો પર ચોથા ઉચ્ચ સ્તરીય ટ્રેક -2 સંવાદમાં જણાવ્યું હતું કે પડોશી હોવા ઉપરાંત, ભારત અને ચીન મોટી અને ઉભરતી અર્થવ્યવસ્થા છે. તેમના માટે મતભેદો અને સમસ્યાઓ હોવી અસામાન્ય નથી.
સૈનિકોને પેંગોંગ ગોગરામાંથી હટાવવામાં આવ્યા
મિસરીએ કહ્યું કે ગયા વર્ષે જુલાઈમાં ગલવાન ખીણમાં સૈનિકો પાછા ખેંચાયા બાદથી, બંને પક્ષોએ આ વર્ષે ફેબ્રુઆરીમાં પેંગોંગ તળાવના ઉત્તર અને દક્ષિણ છેડાથી અને ઓગસ્ટમાં ગોગરાથી સૈનિકો ખસેડ્યા હતા. તેમજ અન્ય સ્થળો પરથી સેનાને હટાવવા માટે વાટાઘાટો ચાલી રહી છે.
મેઘકહેર / ગોંડલમાં રીક્ષા તો જામજોધપુરમાં બળદગાળા સાથે ખેડૂત તણાયો
હુમલો / ભાજપના ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે ભવાનીપુરની પેટા ચૂંટણી રદ કરવા માંગ, મારા પર હુમલો અને કાર્યકર્તા સાથે મારપીટ
ગુજરાત / ગુજરાતમાં આગામી લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાશે – કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ