હાલ જમાનો ખુબ ફાસ્ટ થઇ ગયો છે. ઘરમાં દરેક મહિલા કામ કરતી હોય છે. આ મહિલાઓ ઘર અને ઓફીસ બંનેને સારી રીતે સંભાળે ચેહ. પરંતુ ઉતાવળમાં ઘણી વાર લોટ બાંધીને ફ્રીજમાં મૂકી દે છે અને આ વાસી લોટનો ઉપયોગ કરે છે. આ લોટ એ સ્વાસ્થ્ય માટે ખુબ હાનિકારક છે.
વૈજ્ઞનિકોનું શું કહેવું છે ?
વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે વાસી વાનગી થી દૂર રહેવું જોઈએ. તાજો બાંધેલો લોટ જ વપરાશમાં લેવો જોઈએ. વાસી લોટ પડી રહેવાથી તેમાં અમુક રસાયણિક પ્રક્રિયા થાય છે જે સ્વાસ્થ્ય માટે ખુબ હાનિકારક છે.
આયુર્વેદમાં પણ વાસી ખોરાક કે વાસી લોટને ખાવાની મનાઈ ફરમાવી છે.
ધર્મશાસ્ત્ર પ્રમાણે ફ્રીજમાં રાખેલ વાસી લોટથી શું થાય છે ?
હિંદુ ધર્મ પ્રમાણે બાંધેલ લોટને પિંડમાં સ્થાન અપાયું છે. પિંડમાં હમેશા આત્માઓનો વાસ રહેલો છે. જયારે આપણે લોટને ફ્રીજમાં મૂકી દઈએ છીએ ત્યારે હવા સ્વરૂપે કેટલીક આત્માઓ આપણા ઘરમાં પ્રવેશ કરી દે છે. અને આ આત્માનો વાસ બાંધીને મુકેલા લોટમાં થાય છે. આત્માની અસરના લીધે ઘરમાં કોઈ બીમારી આવી જાય છે. ઘરમાં અવારનવાર કંકાસ અને કજિયા થાય છે. વ્યક્તિ માનસિક રીતે સતત પીડાય કરે છે. ઉપરાંત ઘરમાં વાસી લોટને સંગ્રહી રાખવાથી અનેક મુશ્કેલી આવી પડે છે.
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી બને ત્યાં સુધી તાજો લોટનો જ આગ્રહ રાખવો જોઈએ.