મહેસાણા,
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર જે પ્રમુથ હસ્તિઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગણપતભાઇ પટેલે ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ છે. તેમને પણ પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત કરશે તેવી જાહેરાત કરી છે.
ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને પેટ્રન-ઇન-ચિફ ગણપતભાઇ પટેલને અમેરિકન સોસાયટી ઓફ એન્જિનિયર્સ ઓફ ઓરિજિન્સ દ્વારા લાઇફ ઓફ એચિવમેન્ટ એવોર્ડથી નવાજ્યા હતા.
ગણપતભાઇ પટેલને આ એવોર્ડ કેલિફોર્નિયા યુનિવર્સિટી, જ્ઞાન ડિયોગો, અમેરિકા ચાન્સેલર, ડો. પ્રદિપકુમાર ખોસલા અને ઉદ્યોગપતિ -બિઝનેસમેન રામ વૈરાવનના હસ્તે એનાયત કરાયો હતો.
આ એવોર્ડ સ્વીકારવામાં ગણપતભાઇના ધર્મપત્ની મંજુલાબેન પટેલ પણ સાથે જોડાયા હતા. જેમાં સફળ અને જાણીતા એન્જિનિયર્સ મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. જેઓ અમેરિકન સોસાયટીના સક્રિય સભ્યો છે. ડો.ખોસલાએ આ એવોર્ડ પોતાના હસ્તે ગણપતભાઇને એનાયત થઇ રહ્યો છે.