સિહોરના પાડાપાણ ગામે ભાઈ અને બહેને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ પહેલા આ પરિવારના 4 સભ્યોએ પણ બે મહિના પહેલા ઝેરી દવા પીને આ,પઘાત કર્યો હતો. સુરતમાં રહેતા વિનુ મોરડિયાએ થોડા દિવસો પહેલા પત્ની અને બે સંતાનો સાથે આપઘાત કર્યો હતો. આ સમયે તેના 2 સંતાનો બહાર હતા પરિવારના સભ્યોના મોત બાદ એકલતા અનુભવતા ઋષિતા અને પાર્થે પણ મોતને વ્હાલું કર્યું . એક જ પરિવારના છ સભ્યોએ બે મહિનામાં આત્મહત્યા કરી લેતા ખળભળાટ વ્યાપી ગયો છે.
ઉલ્લેખનીય છે કે મૂળ ભાવનગરના અને સુરતમાં સરથાણાના યોગીચોક પાસે વિજયનગરમાં રહેતા વિનુભાઇએ તેમની પત્ની શારદાબેન, પુત્ર ક્રિશ અને પુત્રી ટીનાએ એક સાથે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. ત્યારે સૌથી મોટો પુત્ર પાર્થ તેમજ પુત્રી રૂચિતા ઘરે હાજર ન હોવાથી બચી ગયા હતા. જ્યારે આ બંને ભાઈ-બહેને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.સરથાણા પોલીસના જણાવ્યા પ્રમાણે મોરડિયા પરિવારની મોટી દીકરી રૂચિતાએ બાથરૂમમાં ફિનાઇલ ગટગટાવી લીધું હતું. તે સમયે રૂચિતાને બચાવી લેવામાં આવી હતી. પરંતુ આ વખતે બંને ભાઈ-બહેને આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું છે.