પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું આજે (શનિવારે) અવસાન થયું છે. તેમના મોતનું કારણ કોરોના હોવાનું જણાવાયું છે. શનિવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
સીએમ મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીના નિધન બાદ તેમના ઘરે શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. હોસ્પિટલમાંથી મૃતદેહ મેળવ્યા બાદ, તેમના અંતિમ સંસ્કાર કોવિડ માર્ગદર્શિકા હેઠળ કરવામાં આવશે.
આ પણ વાંચો :ભારતમાં બાળકોના રસીકરણને લઈને WHO ચિંતિત, અમીર દેશોને કરી આ અપીલ
આપને જણાવી દઈએ કે, કોરોના કહેર અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં, દેશભરમાં કોરોનાના નવા 3,26,098 નવા કેસ નોંધાયા છે, જ્યારે વાયરસના કારણે 3,890 લોકો મૃત્યુ પામ્યા છે. જો કે, કોરોનાથી 3,53,299 દર્દીઓ રીકવર પણ થયા છે.
આ પણ વાંચો :તૌકતે વાવાઝોડાએ બદલી દિશા,વાવઝોડું કેરળ દરિયાકાંઠે વળવાના એંધાણ
ભારતમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 2,43,72,907 કેસ નોંધાયા છે અને 2,66,207 દર્દીઓ આને કારણે મૃત્યુ પામ્યા છે. કોરોના હાલમાં દેશમાં 36,73,802 સક્રિય કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 18,04,57,579 લોકોને કોરોના રસી આપવામાં આવી છે.
આ પણ વાંચો :ગંગોત્રી ધામના ખુલ્યા કપાટ, PM મોદીના નામથી કરવામાં આવી પહેલી પૂજા