સોમવારે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરેલા એક ટ્વીટનો શાયરીમાં જવાબ આપ્યો હતો. રાહુલ ગાંધીએ ફરી આ અંગે સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ ભારત-ચીન સરહદ વિવાદ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે સંરક્ષણ પ્રધાનની ટીકા કરતા એક ટ્વીટમાં લખ્યું હતું કે, “એકવાર સંરક્ષણ પ્રધાને હાથનાં નિશાન પર ટિપ્પણી કરવાનું થઇ જાય, તો શું તેઓ જવાબ આપી શકે છે કે શું લદ્દાખમાં ચીને ભારતીય વિસ્તારોમાં કબજો કર્યો છે?”
આપને જણાવી દઈએ કે, ભારત અને ચીન સૈન્ય અને રાજદ્વારી કક્ષાની વાટાઘાટો દ્વારા સરહદ વિવાદના સમાધાન માટે સંમત થયા છે. દરમિયાન, મંગળવારે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમિત શાહનાં નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ‘સીમા‘ ની વાસ્તવિકતા બધા જ જાણે છે, પરંતુ, હૃદયને ખુશ રાખવા, ‘શાહ-યદ‘ આ વિચાર સારો છે.
Once RM is done commenting on the hand symbol, can he answer:
Have the Chinese occupied Indian territory in Ladakh?
— Rahul Gandhi (@RahulGandhi) June 9, 2020
જણાવી દઇએ કે, ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે ભારતની સંરક્ષણ નીતિની સ્વીકૃતિ વધી છે. સમગ્ર વિશ્વ માને છે કે અમેરિકા અને ઇઝરાઇલ પછી, જો કોઈ દેશ છે જે તેની સરહદોનું રક્ષણ કરવામાં સક્ષમ છે, તો તે ભારત છે. રાહુલ ગાંધીએ ગૃહ પ્રધાનનાં આ જ નિવેદન વિશે ટ્વીટ કર્યું હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.