દેશમાં કોરોના વાયરસના કેસો અત્યારે મોટાભાગે નિયંત્રણમાં થતા જોવા મળી રહ્યા છે . ભારતમાં કોરોના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, પરિસ્થિતિઓમાં પણ સુધારો જોવા મળ્યો છે, જોકે મોટાભાગના મેટ્રો શહેરોમાં હજી કોરોના ની બીજી લહેર જોવા મળી રહી છે , પરંતુ હવે પરિસ્થિતિ વધારે ગંભીર નથી. મુંબઈ અને દિલ્હીમાં કેસો ઘટતા જોવા મળી રહ્યા છે .અન્ય મોટા શહેરોમાં પણ કોરોનાની ગતિ ધીમી પડી રહી છે. આ જ કારણ છે કે હવે દેશ હવે અનલોક તરફ આગળ વધી રહ્યો છે. દેશના મોટાભાગના રાજ્યોને આજ થી અનલોક કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી રહી છે, જે અંતર્ગત ઘણી પ્રવૃત્તિઓને છૂટ આપવામાં આવી રહી છે.
કોરોના ના કેસ નિયંત્રણમાં આવ્યા બાદ હવે , દેશના ઘણા રાજ્યોમાં આજથી લોકડાઉનમાં રાહત આપવામાં આવી રહી છે. દિલ્હી, બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ સહિત કેટલાક વધુ રાજ્યોને આજથી અનલlક કરવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે.
સોમવારે નોધાયેલા કોરોના કેસોની વાત કરીએ, તો ભારતમાં સતત ત્રીજા દિવસે કોવિડના 2 લાખથી ઓછા કેસ નોંધાયા છે. સોમવારે દેશમાં 1,52,734 નવા કોરોનાના નવા કેસ નોધયા છે .તેમજ કોરના ના લીધે ઘણા લોકોના મૃત્યું નીપજ્યા છે .