મોહસિન પરમાર – પ્રતિનિધિ, રાણપુર
રાણપુર દરબાર સમાજ કોમ્યુનિટી હોલ ખાતે આજરોજ તોગાજી દરબાર વરીમાંથી આવતા ઠાકોર સાહેબ આલમભાઈ પરમારના સીધી લીટીના વારસદાર યુવરાજ તરીકે રણજીતસિંહજી બિસુભા પરમાર હાલ રાણપુરમાં હયાત છે.
જેમની સહમતીથી તેમજ રાજવી કુટુંબ આલમભાઈ પરમારના રાજવી વંશજની સહમતીથી તેમજ રાણપુર ગરાસિયા સમાજ અને વડીલોની સહમતીથી તારીખ 26/11/2023ને રવિવારનાં રોજ રાણપુર ખાતે આલમભાઈ પરમાર જે મુળ પુરુષ હતા જેમના રાજવી વંશવેલા માંથી (કુંવર પ્રતિનિધિ) તરીકે મયુરસિંહ રેમતુભા પરમારને નિમણૂક કરવામાં આવ્યાં છે .
આ પ્રસંગે ગરાસીયા સમાજના આગેવાનો તેમજ સમાજના વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ તકે કુંવર પ્રતિનિધિ તરીકે આવતા મયુરસિંહ રેમતુભા પરમારનું ફુલહાર તેમજ મીઠું મોઢું કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.