કોરોનાના વધતા કહેર વચ્ચે ગુજરાત નશાબંધી વિભાગ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં વક્રતા કોરોનાને કરને નશો કરેલી વ્ય્કીના ચેક કરવાની પદ્ધતિમાં સુધારો કરવામાં આવ્યો છે.
દારૂ કે કેફી પીણાનો નશો કરેલ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી વખતે શરીર ની પરિસ્થિતિ નું પંચનામુ કરવાની પદ્ધતિ માં સુધારો કરવામાં આવ્યો છે. નોધનીય છે કે, અગાઉ દારૂ કે કેફી પીણા પીધેલા લોકો નું મો સુધવું, આખો ચેક કરવી, શરીર નું સંતુલન , તેમજ બોલતી વખતી જીભ લથડાતી વગેરે ચકાસવામાં આવતું હતું. સુધારા સાથે હવે શંકાસ્પદ વ્યક્તિ કોરોના સંક્રમિત હોઈ શકે છે, મોઢું સુંઘવાથી તપાસ કરનાર કર્મચારી સંક્રમિત થઈ શકે છે, કોરોના ને લઈ ને બીજો આદેશ ના થાય ત્યાં સુધી નશો કરેલ વ્યક્તિ નું મો સુઘવાની કાર્યવાહી નહિ કરવા આદેશ કરવામાં આવ્યો છે.