ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)નો ઉલ્લેખ હોય અને લલિત મોદી ચર્ચામાં ન હોય, એવું ભાગ્યે જ બને છે. મીડિયા રાઈટ્સની હરાજીથી આઈપીએલ હેડલાઈન્સ બની રહી છે. બીસીસીઆઈએ તેમાંથી 48 હજાર કરોડની કમાણી કરી છે,ત્યારે IPLના પિતા કહેવાતા લલિત મોદીએ પોતાનો અભિપ્રાય આપ્યો.
એક ટ્વીટના જવાબમાં લલિત મોદીએ કહ્યું કે તેણે (IPL) મારા નામ પર પણ પ્રતિબંધ મૂક્યો છે, કોમેન્ટ્રી દરમિયાન પણ મારું નામ ન લઈ શકાય. આ તેમનામાં ડર છે, કારણ કે તેઓએ તેને બનાવવા માટે કંઈ કર્યું નથી. મને કોઈ વાંધો નથી, તેઓ નાના મનના છે. પરંતુ એ હકીકત બદલી શકાતી નથી કે મેં આઈપીએલ બનાવી છે. મારા માટે તે પૂરતું છે.
They even banned my name – no commentary allowed to even bring it up. This is the fear they have as they did nothing to establish it. But reap the money. It does not bother me. Small minded. Crab mentality. But they can’t take away the fact I created it. That’s enough for me 🤗👍🏻 https://t.co/G0RB3NAhbr
— Lalit Kumar Modi (@LalitKModi) June 14, 2022
લલિત મોદીએ આ જવાબ ટ્વીટ કરીને આપ્યો હતો, જેમાં લખ્યું હતું કે બીસીસીઆઈએ લલિત મોદીનો આભાર માનવો જોઈએ કારણ કે તેમના વિના આ બધું શક્ય નહોતું.
નોંધનીય છે કે લલિત મોદી તે લોકોમાંથી એક છે, જેમણે IPL શરૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. લલિત મોદી આઇપીએલના પ્રથમ અધ્યક્ષ હતા અને તેમના નેતૃત્વમાં તેની શરૂઆત કરવામાં આવી હતી. જો કે, બાદમાં બીસીસીઆઈ સાથે તેના સંબંધો બગડ્યા અને ઘણા આરોપો લગાવવામાં આવ્યા. લલિત મોદી લાંબા સમયથી દેશની બહાર છે.
જો આપણે IPL મીડિયા અધિકારોની વાત કરીએ તો BCCIએ IPL 2023 થી IPL 2027 સુધીના મીડિયા અધિકારો વેચ્યા છે. તેની કુલ કિંમત 48 હજાર કરોડથી વધુ થઈ ગઈ છે. આ વખતે સ્ટારે ટીવી રાઇટ્સ ખરીદ્યા છે, જ્યારે ડિજિટલ રાઇટ્સ વાયાકોમ-18ના હાથમાં છે.